SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ હૂબહૂ મૂર્તિ બનાવીને એને સ્થાપિત કરી દેજે, જેથી હું એની પાસે ઊભા રહીને પ્રભુની આરતી ઉતારીશ. આમ કરવાથી મારી પ્રતિજ્ઞા પણ અખંડ રહેશે અને ચેાથા વ્રતના ભંગ નહિ થાય, બલ્કે એનુ દૃઢપણે પાલન થશે.” મહારાજા કુમારપાળની દલીલ આગળ મંત્રીમ’ડળ નિરુત્તર બની ગયું. સ્વાધ્યાયના પ્રત્યક્ષ પરિણામ રૂપે કુમારપાળ મહારાજાને સાચા જ્ઞાનની પ્રાપ્તિ અને બ્રહ્મચય તથા અન્ય વ્રતેના પાલનમાં દૃઢતા સાંપડી હતી, પરંતુ એનું પરાક્ષ પિરણામ પણ એટલું સુદર આવ્યું અને તે એ કે તેમની ત્રીજા ભવમાં મુક્તિ નિશ્ચિંત બની. શ્રી સીમંધરસ્વામીએ ત્રીજા ભવમાં કુમારપાળ મહારાજાની મુક્તિ થવાના ફૈસલેા આપ્યો. આમ સ્વાધ્યાયનું પ્રત્યક્ષ ફળ તેા તત્ક્ષણ મળે છે, પરાક્ષ ફળ પણ મળ્યા વિના રહેતું નથી. જ્ઞાનનાં સઘળાં સાધના સુલભ હાવા છતાં. જે સાધુ-સાધ્વી સ્વાધ્યાય કરતાં નથી તેમને પછીના જન્મમાં પસ્તાવાના વારા આવે છે કારણે કે જ્ઞાન તે પરભવમાં પણ સાથે જ જાય છે. ‘ભગવતી સૂત્ર’માં ભગવાન મહાવીરને ગણધર ગૌતમે પૂછ્યું, “દવિદ્ નામે વરવિણ વિ ?”, “નોયમા ! રૂદ્દવિદ્ નાગે, પરમવિદ્ વિ તનુમયમવિવિ।” ભગવાન ! જ્ઞાન આ ભવ સુધી જ સીમિત રહે છે કે પરભવ સુધી જાય છે?” ભગવાન મહાવીરે કહ્યું, “ગૌતમ ! જ્ઞાન આ ભવમાં પણ રહે છે, પરભવમાં પણ જાય છે. આમ મને ભવમાં સાથે રહે છે.’ પ્રત્યેક સાધુ-સાધ્વી માટે સ્વાધ્યાય કરવા પરમ આવશ્યક છે અને ગૃહસ્થને માટે પણ તે જરૂરી છે. જે વ્યક્તિ સ્વાધ્યાય કરતી નથી.. એને જ્ઞાનની અપ્રાપ્તિ સ્વરૂપે એવુ ફળ મળે છે. આથી મુક્ત મનથી સ્વાધ્યાય કરવા જોઈએ. સ્થાન : જૈનભવન, બીકાંતેર ૧૧ ઑગસ્ટ ૧૯૪૮ 173 સાધનાનું નંદનવન : સ્વાધ્યાય
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy