SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાયના સુફળને પૂર્ણરૂપે પ્રાપ્ત કરવા માટે ત્રણ બાબતે મહત્વની છેઃ (૧) સ્વાધ્યાય કરતી વખતે આપણું ધ્યાન શાસ્ત્રના શબ્દો અને તેના અર્થો પર કેન્દ્રિત હોવું જોઈએ. (૨) સ્વાધ્યાય. પ્રતિદિન નિયમિત થવું જોઈએ. (૩) બ્રહ્મચર્યદઢતા (ગૃહસ્થને માટે શીલપાલનમાં દઢતા) હોવી જોઈએ. આ ત્રણેય બાબતે લક્ષમાં રાખીને સ્વાધ્યાય કરવામાં આવે. તે કેવું સુફળ સાંપડે તેને ખ્યાલ મહારાજા કુમારપાળના જીવનમાંથી મળી રહે છે. સ્વાધ્યાયનું સુફળ આચાર્ય હેમચંદ્રની પ્રેરણાથી મહારાજા કુમારપાળ શૈવધર્મી હોવા છતાં જૈનધર્મનાં વ્રતનું પાલન કરતા હતા. એમણે નિયમ. કર્યો હતો કે, “હું રોજ યોગશાસ્ત્ર અને વીતરાગ તેત્રીને સ્વાધ્યાય . કર્યા પછી જ અન્ન-જળ લઈશ.” રોજ લેગશાસ્ત્રના સ્વાધ્યાયને કારણે મહારાજા કુમારપાળ . સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓના ધર્મો તથા આચારના જાણકાર બની ગયા. “વીતરાગ સ્તોત્ર'ના રેજના સ્વાધ્યાયને કારણે એમને. વીતરાગ દેવના સાચા સ્વરૂપનું જ્ઞાન થયું. આ રીતે સ્વાધ્યાયને કારણે મહારાજા કુમારપાળની શ્રાવકધર્મ પર દઢ નિષ્ઠા થઈ. એ પછી એમણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. રોજ સ્વાધ્યાય કરવાનું પરિણામ એ આવ્યું કે મહારાજા કુમારપાળે શ્રાવકના ચેથા વ્રત બ્રહ્મચર્ય અણુવ્રત વિશે એવી પ્રતિજ્ઞા કરી કે, “આજે મારી જે પત્ની છે તે સિવાયની બીજી બધી સ્ત્રીઓ સાથે. મથુનસેવનને ત્યાગ કરું છું. આની સાથે સાથે એવી પ્રતિજ્ઞા કરી કે, “રેજ પત્ની સહિત મંદિરમાં જઈને અમે બંને જિનેશ્વર પ્રભુની. આરતી કરીશ.” નસીબને મહારાજા કુમારપાળની પત્નીને દેહાંત થયા. આ. જગતમાં જે જન્મે છે એને એક દિવસ તે જવું જ પડે છે. મંત્રી.. 171 સાધનાનું નંદનવન = સ્વાધ્યાય
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy