SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ સભ્ય બિનજરૂરી ચીજવસ્તુઓ તે નથી માગતે ને? અથવા તે કઈ અનુચિત માગની પૂતિ તે કરતા નથી ને? વળી એ પણ વિચારવું જોઈએ કે એ બેટી કમાણી તે કરતે નથી ને? અથવા તે. નકામી બાબતમાં તે ખર્ચ કરતું નથી ને? કઈ ખરાબ કે વ્યસનની. પ્રવૃત્તિમાં તે પડ્યો નથી ને ? પરિવારની અનુચિત માગણી, જરૂરિયાત કે ખર્ચને પૂરા પાડવા માટે તમે સંમત થાઓ તે એને અર્થ એ થયો કે તમે પરિવારની સેવાને બદલે કુવા વધુ કરી રહ્યા છે. આ વખતે દઢતાપૂર્વક પગલાં ભરવાં જોઈએ. કે જેથી યેાગ્ય માગણી કે જરૂરિયાતની પૂર્તિ માટે શુદ્ધ. ધર્મની દૃષ્ટિ પરિવારમાં કેળવાય અને સુસંસ્કારી બને છે તે આપની, સેવા ભલે કોઈ નાનકડા ક્ષેત્રમાં સીમિત હશે તે પણ વૈયાવૃત્ય તપની. કેટિમાં આવશે. મહાત્મા ગાંધીનું સેવાવ્રત વાસ્તવમાં તે વૈયાવૃત્ય ત્યારે જ તપ બને છે જ્યારે એમાં શરીર પાસેથી પણ ધર્મપાલનને પ્રયત્ન કરવામાં આવ્યો હોય. ધર્મમાર્ગમાં પ્રવૃત્ત કરવા, ધર્મથી વિચલિત થતા લોકોને સ્થિર કરવા અને એમને સ્વાવલંબી બનાવીને ધર્મસંસ્કાર વગેરે આપવા જેવાં કાર્યોને વૈયાવત્ય તપ કહેવાય છે. બિકાનેરના શ્રાવક સુમેરમલજી સુરાણાએ પોતાના પિતાની વૃદ્ધાવસ્થામાં અંતિમ સમયે જે સેવા કરી તે સહુ કોઈ જાણે છે, પરંતુ એથીયે વધુ પ્રશંસનીય બાબત એ છે કે પિતાની પત્નીને સ્વર્ગવાસ થતાંની સાથે જ ૩૬ વર્ષની ઉંમરે પૂર્ણ બ્રહ્મચર્ય પાલનનું વ્રત લીધું. પરિવારને માટે આ બાબત પ્રેરણાદાયક બની રહી. આમ ભલે તમારી સેવાની સૌરભ માત્ર પરિવાર સુધી જ વિસ્તરેલી હોય, પરંતુ એની સાથે સાથે આ બે બાબતે વિશે ખાસ ધ્યાન રાખવું. આ પ્રકારના પરિવારથી આગળ વધીને જ્યારે તમે જ્ઞાતિ, સંપ્રદાય, સમાજ, ધર્મ, રાજ્ય અને રાષ્ટ્ર સુધી સેવાનું ફલક વિસ્તારે ત્યારે પણ આ બે બાબતે ધ્યાનમાં રાખવી જોઈએ. 128 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy