SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાથી એના રહેવાની અને ભાજનની વ્યવસ્થા કરીને બાકીના પૈસા આપતાં કહ્યું, “ભાઈ ! હવે હું તારી વિદાય લઉં છુ. મારાથી જે થઈ શકે તે મેં કર્યું. આનાથી વધુ કરી શકવાનુ` મારુ' ગજું નથી.” ખીમાર માનવીએ માથું નમાવીને એને અંતરના આશીર્વાદ આપતાં કહ્યું, “ભાઈ ! તેં મારે માટે ઘણુ કર્યું. ભગવાન તને દીર્ઘાયુ મનાવે.” આ ત્રણ વ્યક્તિમાંથી કેાની ક્રિયાને તમે તપ કહેશે? એ હકીકત છે કે ઊટવાળાની ક્રિયાની પાછળ તપ રહેલુ છે તેથી એની સેવા જ વૈયાવૃત્યની કોટિમાં આવે. ઊંટવાળાએ કરેલી સેવાની પાછળ તન અને મન બંનેના ઉત્સ`હતા. પતિ અને શેઠે જે ક ંઈ કર્યુ તેને પુણ્યકાર્ય કે રાહતકાર્યું ત્યારે જ કહેવાય કે જ્યારે એની પાછળ એના પ્રત્યે સહૃદયતાની ભાવના હાય, આપવામાં આવેલા પૈસા નીતિ–ન્યાયથી મેળવેલા હાય અને શુદ્ધ નિઃસ્વાર્થ ભાવથી આપવામાં આવ્યા હાય ! એ સેવા પુષ્ણેાપાન કરનારી ગણાય. કયારેક તે કોઈ સંસ્થામાં થોડી રકમ આપીને પ્રશંસા, પ્રતિષ્ઠા કે નામના કમાવાની ભાવના રખાય છે. અહીં આ સેવા નથી, પણ સોદાબાજી છે. કારેક સેવાની ઠેકેદાર બનીને વ્યક્તિ પોતાના જીવનને શુદ્ધ ધર્માચરણયુક્ત અનાવતી નથી કે ન તા યેાગ્ય રીતે સમાજની સેવા કરે છે, અલ્કે ઘણીવાર સમાજસેવાને નામે મળેલી રકમ પણ હડપ કરી જાય છે. આ સેવા નથી, પણ વ્યાપાર છે. આવી સોદાબાજી કે વેપારીવૃત્તિ છેડીને અથવા તેા પદ્મ, પ્રશસા કે પ્રતિષ્ઠાના પ્રલેાલનને તિલાંજલિ આપી કશાય બદલાની આશા રાખ્યા વગર જે મદદ કરવામાં આવે અને પોતાની ભૂમિકાને અનુરૂપ વ્રતનું આચરણ કરવામાં આવે એ જોવા વૈયાવ્રત્ય તપ ગણાય. સેવાના વ્યાપ સેવા કે વૈયાવૃત્યની કોઈ સીમા આંકી શકાય નહીં. પોતાની શક્તિ દખાવવા કે છુપાવવાને બદલે જેટલી વધુ સેવા થઈ શકે 126 આજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy