SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરેણાં પહેરીને ગરીબોની સેવા કરવા જનાર એમનામાં ઓતપ્રેત થઈ શકતું નથી. ગરીબની સેવા કરવા ઈચ્છનારે સ્વેચ્છાએ ગરીબી ધારણ કરવી પડે છે. મહાત્મા ગાંધીજી રેલવેમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હતા. શું એમની પાસે પ્રથમ વર્ગની ટિકિટના પૈસા નહતા? એક વાર કિઈ એ એમને પૂછયું, - બાપુ, તમે ત્રીજા વર્ગમાં શા માટે મુસાફરી કરે છે? ભારતના રાષ્ટ્રપિતા ત્રીજા વર્ગમાં મુસાફરી કરે તે સહેજે શોભારૂપ ગણાય નહીં.” મહાત્મા ગાંધીજીએ નમ્રતાથી ઉત્તર આપે, હું ત્રીજા વર્ગમાં મુસાફરી એ માટે કરું છું કે મારે જેમની સેવા કરવી છે તેમાં ત્રીજા વર્ગમાં બેસીને મુસાફરી કરે છે. હું ભારતના અગણિત દીન અને હીન લોકોને સેવક છું. જેની સેવા કરવી હોય તેની માફક જ સેવકે રહેવું જોઈએ. જે રેલવેમાં એ વર્ગ હેત તે હું એમાં મુસાફરી કરતે હેત.” સેવા સદો નથી આમ સેવા કરનારે ઘણી મેટી તપશ્ચર્યા કરવી પડે છે. રસ્તે ચાલતા કોઈ ગરીબ કે દુઃખીને જોઈને પૈસા ફેંકીને ચાલ્યા જઈએ અથવા તે કોઈ સંસ્થાને છેડી આર્થિક સહાય આપીએ તે એટલી સેવાથી તપ થાય નહીં અને તે વૈયાવૃત્યની ટિમાં આવે નહિ. ગરીબ તરફ પૈસે ફેંકવા માટે કેઈ તપશ્ચર્યા કરવી પડતી નથી. વૈયાવૃત્યની કેટિની સેવામાં તે તન અને મન ઘસવા પડે છે. સાધનની વાત તે એ પછી આવે છે. એક વાર જેઠ મહિનાના ધગધગતા તાપમાં બપોરના સમયે એક શિઠ અને પંડિત ઊંટ પર બેસીને રણમાંથી પસાર થતા હતા. રસ્તે ઘણે લાંબે હતે. એક ગામની નજીક આવ્યા ત્યારે એમણે જોયું કે એક બીમાર માણસ જમીન પર પડયે પડ્યો ચીરો પાડે છે. એ fઊભે થઈ શકતે નહેતે. એની સ્થિતિ ઘણી દયાજનક હતી. કેઈ 124 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy