SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તન, મન અને ધનના સહયોગ આપે છે. વળી આવાં કાર્યમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ –સ`પ્રદાય, પ્રાંત વગેરેની સાંકડી દીવાલેા ઊભી કરતી નથી. તેએની આ સેવા એ સાજનિક સેવા જરૂર બને છે પરંતુ એના સમાવેશ તૈયાનૃત્યની કોટિમાં થઈ શકે નહીં કારણ કે આની પાછળ કાઈ પણ પ્રકારનું તપ હોતુ નથી; પેાતાની ઇચ્છાઓ, વાસના, કામનાઓ, સ્વાર્થા, દુત્તિઓ, કષાયા અને વિષયાપભાગાની ઉપલબ્ધિઓના સથા ત્યાગ કરવામાં આવતા નથી. જ્યાં પેાતાની નામના કે કામનાની વિશિષ્ટ ઇચ્છાએ એમ ને એમ જ હાય, કષાયા અને વિષયાપભાગેની આસક્તિ છોડવાના કાઈ પ્રયાસ હાય નહિ અને જ્યાં પોતાના ક્ષુદ્ર સ્વાર્થાંની આહુતિ આપવામાં આવી ન હેાય ત્યાં એ તપ કેમ કહેવાય ? જ્યાં તપ નથી ત્યાં એ પ્રવૃત્તિ કર્મક્ષય કે નિરાનું કારણ બનતી નહિ હેાવાથી એ શુદ્ધ ધર્મ કેમ બને ? આથી અગાઉ કહેલાં કાર્યાના સમાવેશ સેવામાં થતે હેાવા છતાં એ સેવા તપસ્યા વધારનારી નથી તેમજ ધ કેડિટની પણ નથી, માત્ર પુણ્યની કોટિની છે. એને શુદ્ધ ધકા નહિ બલ્કે પુણ્યકાર્ય કડ્ડી શકાય. શુદ્ધ ધર્મની પ્રવૃત્તિમાં તે તપ હંમેશાં પહેલુ હાય છે. એમાં પેાતાનાં આત્મા, મન, ઇન્દ્રિય અને શરીરને તપાવવાનાં હોય છે, તેમજ એને વિરોધ કે નિગ્રહ કરવાના હાય છે. આજની ભાષામાં કહું તે જીવનમાં ક્રાંતિ કરવી પડે છે. ક્રાંતિ ત્યાગ માગે છે, રાહત નહીં.. ? પરમ ગહન તપ આથી જ હું તમને કહેતા હતા કે નિઃસ્વાર્થ અને નિષ્કામ સેવા વૈયાવૃત્યની સમકક્ષ ત્યારે જ આવી શકે જ્યારે એની પાછળ અગાઉ જણાવ્યા પ્રમાણેનું તપ હેાય. આથી જ કહેવાયુ છે કે, “સેવાધર્મ પરમાદને, યોગિનામવ્યયમ્યઃ ।” સેવાધર્મ (વૈયાવ્રત્ય તપ) અત્યત ગહન છે, ચેાગીઓને માટે પણ અગમ્ય છે અર્થાત્ પ્રાપ્ત કરવા કઠિન હાય છે.' નિષ્કામ સેવામાં વ્યક્તિએ પાતાનાં મન, ઇન્દ્રિયા અને ચિત્તની મહત્ત્વાકાંક્ષાઓનું દમન કરવુ પડે છે અને એથી જ એ અઘરી લાગે 122 એજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy