SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પણ રહી શકતાં નથી. અગ્નિએ કયારેય કોઈને એના ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યાં ખરા ? અને વનસ્પતિ તે પેાતાને માટે કશુ સંઘરી રાખતી નથી. એ તા પૃથ્વી અને પાણી પાસેથી રસ અને સત્ત્વ લઈ ને બીજાને આપે છે. બધાં પ્રાણીઓને એમના પોષણને અનુરૂપ આહાર આપે છે. આવાં એકેન્દ્રિય અને સુષુપ્ત ચેતનાશીલ પ્રાણીઓએ આપણા પર કેટલા બધા ઉપકાર કર્યો છે! કયારેય તમે આ ઉપકારના બદલે વાળવાનું વિચાર્યું ખરું? જે મનુષ્ય નહિ હાય તા પણ આ પૃથ્વી, પાણી, હવા, આગ કે વનસ્પતિને કશે। વાંધેા આવવાના છે? ના. સહે નહિ. હકીકતમાં તે મનુષ્યને કારણે એમને તકલીફ પડતી હાય છે. જ્યારે આ બધાંના અભાવે મનુષ્યને મેટી ચિંતા થતી હાય છે. આપણી સમગ્ર સભ્યતા અને સસ્કૃતિ આના અભાવમાં નષ્ટપ્રાયઃ થઈ જાય. આથી ‘સ્થાનાંગ સૂત્ર”માં ધર્માચરણ કરનારને માટે સૌપ્રથમ આ ષટ્કાય (સ્થાવર અને ત્રસ) જીવેાના આશ્રય અને ઉપકારને અનિ ખતાવવામાં આવ્યા છે. વા મનુષ્યના ભ.વ-વિકાસ આવા એકેન્દ્રિય જીવા મીજાને માટે જિઢગી જીવીને પોતાના પ્રાણનુ' અલિદાન આપે છે, તેા મનુષ્યે એ વિચાર ન કરવા જોઈ એ કે હું અતિ વિકાસશીલ પંચેન્દ્રિય માનવી થઈ ને મારા જીવનને માત્ર ખાવાપીવામાં, પહેરવા ઓઢવામાં અને આનઃ–પ્રમાદમાં શા માટે વેડફી દઉં? મારું જીવન તા વિશ્વના પ્રાણીમાત્રને માટે સુખશાંતિદાયક થવુ જોઈ એ, ખીજા પ્રાણીઓની સેવા અને રક્ષા માટે ન્યાછાવર થવુ જોઈ એ. આવું સાકય ન સધાય તેા સાડા ત્રણ હાથની કાયા મળવાના લાભ શે ? આ તે મનુષ્યને માત્ર દ્રવ્યવિકાસ ગણાય કે એ એકેન્દ્રિયમાંથી દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયની ભૂમિકા પાર કરીને પંચેન્દ્રિય અને તેમાં પણ સ'ની મનુષ્ય બન્યા છે. દ્રવ્યવિકાસની બાબતમાં તે માનવીની તુલનામાં દેવતાઓ માજી જીતી જાય. કારણકે 119 સૌરભ સાચી વૈયાવૃત્યની
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy