SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ હે, કામી અને અકામી, એક અને અસખ્ય છે. પરમાત્માનું આવુ સ્વરૂપ આશ્રય' ઉપજાવે એવું અને વવી ન શકાય એવુ છે. શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૩૪૯ અને ૩૫૦) પહેલા સ્તવનમાં કવિએ રાજુલે તેમનાથને આપેલા ઉપાલંભવખ્યા છે. ખીજા સ્તવનમાં રાજુલ પેાતાની સખી આગળ પેાતાની વ્યથા વર્ણવે છે. છેલ્લી ત્રણ-ચાર કડીમાં કવિએ મૌલિક રૂપક પ્રયાજયુ છે અને રાજુલા નેમિનાથ સાથે વિવાહ થયા એમ. આધ્યાત્મિક દૃષ્ટિથી બતાવ્યું છે. ચાર મહાવ્રત એ ચુંદડી, ચાર ભાવના એ ચોરી અને એમાં ધ્યાનરૂપી અગ્નિમાં કમ રૂપી ઉપાધિ સળગાવવામાં આવી, અને ત્રણ રત્નરૂપી કંસાર નર અને નારી શુદ્ધ ભાવથી આરાગે છે એવું રૂપક કવિએ યેાજયું છે. શ્રી પાર્જિન સ્તવન ( પૃ. ૩૫૧ અને ૩૫૨) પહેલા સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંયમ અને દેવળજ્ઞાનનેા મહિમા વણવી, પ્રભુ પ્રત્યેના પોતાના ભક્તિભાવ પ્રગટ કર્યો છે. ખીજા સ્તનમાં કવિએ પ્રભુની કૃપા માટે પેાતાની અરજ કરી છે અને પછી એક રૂપક પ્રયોજ્યુ છે, જેમાં મેાહ રાજાનું વર્ચસ્વ આખા જગત પર વ્યાપે છે. ત્યારે પ્રભુએ ખડ્ગ વડે એ રાજાને સંહાર કર્યો એમ દર્શાવ્યું છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૫૩ અને ૩૫૫) પહેલા સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીના જીવનની અને એમના ધર્મોપદેશની મહત્તા અને ગૌરવ દર્શાવ્યાં છે. અને ખીજા સ્તવનમાં શ્રી મહાવીર સ્વામીના જીવનના જુદા જુદા પ્રસ ંગાના નિર્દેશ કર્યાં છે.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy