SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૩ તમારે કાંતે સેનાના કુંડલ છે અને કંઠમાં નવસેરને હાર છે. શ્રેષ્ઠ હાથી પર બેઠેલા તમે સ* શણગાર સાથે શાભી રહ્યા છે. મેટા મંડપ તૈયાર કરાવ્યા છે. નવી માંચી કરાવેલી છે. સ્થળે સ્થળે શાલતી તમારી જાન ખરેખર જોવા જેવી છે. બલભદ્ર અને કૃષ્ણ તથા મોટા રાજાએ તમને માને છે અને બધા દેવા તમારા અવર્ણનીય સ્વરૂપની સેવા કરે છે. સાસરુ સ્વાભાવિક રીતે મનને ગમે એવું છે અને પિયર પણ પતતુ છે. જો પ્રિયતમ યૌવનમાં ચાલ્યા જાય તે હું શું કરું? કની ગતિને કાઈ પહેાંચી શકતું નથી.' ( સ્વામી ( તેમિનાથે ) એ સારથિને પૂછ્યું કે · આ બંને વાડમાં શું ભર્યુ છે ?? સારથિએ કહ્યું કે એમાં પશુએ તમારા સત્કારમાં ભાજન માટે રાખવામાં આવ્યાં છે.' એ વખતે હરણી હરણને કહે છે, ‘ તે પાકાર કાં કર્યો ? જો નૈમિકુમાર આવ્યા.' એ પ્રમાણે સાબર સાબરીને અને રેઝ રોઝડીને કહે છે. પછી નેમિનાથ ભગવાન સારથિને કહી પશુને છેડાવી મૂકે છે. તેએ લગ્ન કર્યા વિના તારણેથી પાછા ફરે છે અને સયમ ધારણ કરે છે. તેમણે દીક્ષા લેતી વખતે વરસીદાન એટલું બધું આપ્યું કે જેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. ચારિત્ર્ય લઇ ગિરનાર પર તે ગયા. રાજુલ કહે છે કે · હે નાથ ! તમે કારણ વગર મારા પર આટલા બધા રાષ શાને કર્યું ? ગિરનાર પર વીજળી, ગના ને વૃષ્ટિ થઈ. સહસાવનમાં સરાવર ભરાયું, પણ તમારી સ્ત્રી મ તરસી જ રહી. એણે સાંસારનું કંઇ સુખ જોયું નહિ. મારી સાથે આપે ભાગ ભાગવ્યા નહિ. આપે પહેલાં મને હૃદયમાં સ્થાપી અને પછી મને જીવનભરને માટે ઉવેખી માટે જરૂર પૂર્વભવમાં મેં કઈક પાપ કર્યાં હશે! આકાશમાં વાદળાંની ગર્જના થાય છે અને વૃષ્ટિ થાય છે અને મારી વિરહની વેદના વધતી ગઈ છે. તમને રાકવા માટે માતાએ અને મામાએ પ્રયત્ન કર્યાં છતાં તમે રાખવા છતાં રહેતા નથી. ખીજા
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy