________________
૩૬૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૫૧)
શ્રી નિત્યલાભ ચાવીશી રચના ૧૭૮૧ સુરત
તેઓશ્રીના પિતાનું નામ કમી હતું ને માતાનું નામ કમલાદે હતું. શ્રી અંચલગચ્છમાં શ્રી સહજસુંદર મુનિના શિષ્ય શ્રી નિત્યલાભ થયા તેઓની દરેક કૃતિઓમાં શ્રી ગેડીપર્ધનાથની સ્તુતિ પ્રારં ભમાં કરી છે. ને કાવ્ય તથા રાસોમાં વર્ણન શૈલી સુંદર છે તેઓની કૃતિમાં સદેવંત સાવલિંગા રાસ ૧૭૮૨માં સુરતમાં બનાવ્યું છે. જેની વાર્તા જૈનેતરમાં પ્રસિદ્ધ છે. તેઓએ સુરતમાં ઘણું ચાતુમસ. કર્યા હેય એમ જણાય છે.
ગ્રંથ રચના (૧) મહાવીરના પંચકલ્યાણકનું ચઢાળીઉ ૧૭૮૧ સુરત. (૨) શ્રી ચંદનબાલા રાસ. ૧૭૮૨ સુરત. (૩) શ્રી વીસી ૧૭૮૧ સુરત. (૪) સદેવંત સાવલિંગા રાસ. ૧૭૮૨ સુરત. (૫) શ્રી વાસુપૂજ્ય સ્તવન ૧૭૭૬ કચ્છ અંજાર. (૬) શ્રી વિદ્યાસાગર સૂરિરાસ ૧૭૯૮ અંજાર.
શ્રી ગહષભ જિન સ્તવન
(ઢાલ-વૃંદાવનમાં કાન કમરછ રાધાને મન ભાવે રે—એ દેશી) આદિ જિણેસર વિનતિ અમારી સાંભલી મારા સ્વામી રે; મરૂદેવીના નંદન વાહલા અરજ કરૂં શિર નામીરે.
આદિ૧