SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ એવું પાંચમું અણુવ્રત ગ્રહણ કરે! કે જેથી તમને ભાવી કાલમાં તે ઉપયોગી થશે. ” . હે સ્વામી બજેઓ ઘણા પરિવાળા છે તેમને લેવું તે યોગ્ય છે. પણ સમુદ્રને પાળ બાંધવા જેવું એ મેટુ વ્રત મારે કેમ ઘટે”! પિથડકુમાર પિતાના ભાગ્યની નિંદા કરતાં થકાં જવાબ આપતા હવા. હે પેથડકુમાર ! “તમે કહે છે તે સત્ય છે, તે પણ તે વ્રત ઘણા સુખને આપનારૂ છે. તમારા હિતની ખાતર તમારે લેવું - ઇએ.” એ પ્રમાણે આચાર્ય કહેવા લાગ્યા. - સ્વામી ! “ આ સર્વ વ્યવહારીયાઓએ પરિગ્રહ પરિમાણવ્રત અંગીકાર કર્યું છે, તેમાં જે હું પહેલું વ્રત અંગીકાર કરૂં તે સુવર્ણની સાથે તેલાતી ચણે ઠીની પેઠે હું હલકે થાઉં.” સર્વ વ્યવહારીયાઓ બેલી ઉક્યા કે સોનું અને ચણોઠી તે વળી શું ! આ કુંવર વળી તેને અધિકાર કયાંથી લાવ્યા. ગુરૂમહારાજ? તેને સંવાદ તેને કહેવા દે” પેથડકુમાર તેમને તેનો સંવાદ કહી સંભળાવે છે. પ્રકરણ ૯ મું “ગુરૂ સમાગમને લાભ वरं वनं व्याघ्र गजेन्द्र सेवितम् द्रुमालयं पक फलांबु भोजनम् । तृणानि शय्या परिधान वल्कलं न बंधु मध्ये धन हीन जीवनम् ભાવાર્થ વાઘ અને મોટા હાથીઓથી પરિપૂર્ણ એવા વનમાં વસવું તે સારૂ છે. વૃક્ષનાં ફળનું ભોજન કરીને, અને વહન કરતાં ઝરણાંનું પાણી પીવા વડે કરીને, દિવસો ગુજારવા સારા છે.
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy