SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ થયું તેના કરનાર દેદાશાહ શેઠની ઉદારતા જગતમાં કોને આશ્ચર્યકારક નહિ જાય. ખરેખર જગતમાં લક્ષ્મીબાઈના લેભી જીવોને આ ચિતાર હૃદયભેદક લાગી તેમનાં હૃદય પિતાની નીચ વૃત્તિ માટે બેઘડી તેમને શોક કરાવી નયનમાંથી અશ્વનાં બિંદુઓ વહેવરાવશે. તેમજ પિતાનું બેલેલું વચન પિતે પ્રમાણ કર્યું છે એમ સજ્જન પુરુષોને દાખલા રૂપ તે થઈ પડશે, સજન માણસો પોતાનું વચન કદિપણ ભંગ કરતા નથી. ગમે તેવા સંગ હોય અગર તો કોઈપણ પ્રકારે તે ઓ આપત્તિના વાદળામાં ઝંપલાઈ ગયા હોય તો પણ ધૈર્યતાને અવલંબીને તેઓ પિતાની ટેક છોડતા નથી. પ્રકરણ ૬ ઠું પુત્ર દર્શન કીસ્મતકે આગે, કીસીકી કુચ્છ નહી ચલતી; - સબ હી તેરા હેતે, કી જબ તકદીર ફીરતી. થી ત્ર વગરની સ્ત્રીનું જીવતર ખરેખર આ જગતમાં પ્રશંસવાને સર પુરો લાયક ગણાતું નથી. હું ગમે તેવી સમજુ અને શાણું ગમે ગ્રામ િણાતી હોઉં, પણ જ્યાં સુધી મને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ • નથી, ત્યાં સુધી ખરી રીતે તે હું હીણભાગી જ છું. ગુણે કરીને રહિત એવી રમણીયે પણ પોતાના ખોળામાં પુત્રને રમાડતી હતી અને વારંવાર તેને આલિંગન કરતી છતી તેનું આનંદદાયક મુખડું જોતી છતી ખરેખર તેણી ધન્યવાદને પાત્ર ગણાય છે, પોતાના વ્હાલા બાળકના રળીયામણા વદન કમળ ઉપર ચુંબનનો વરસાદ વરસાવનારી ભાગ્યવાળી યુવતી પોતાના પુત્રના આનંદદાયક મુખને નિરખતી છતી તેમણે પુત્ર જન્મનો લહાવો પુર્ણ કર્યો છે. પુત્ર વગરની વધ્યા સ્ત્રી જગતમાં હલકટપણાને પામે છે. ઈદના સરખી સાહ્યબી ભોગવનારી અને પુત્રના સુખથી ત્યજાએલી એવી પુત્ર વિયોગીની વનિતા ઓ ખરેખર અભાગીણી સરખીજ જાણવી. કારણકે સંપદાને ભવિષ્ય
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy