SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય છતાં પ્રિય રાજગહનો શ્રેષ્ઠી. નામે મહાશતક. એ શ્રમણોપાસક બન્યો. ઘરમાં એથી વિપરીત બન્યું. એની સૌન્દર્યશાલિની પત્ની રેવતી મઘ-માંસ અને મોજશોખમાં લુબ્ધ બની ગઈ. મહાશતક પત્નીને સુમાર્ગે દોરવા પ્રયત્ન કરી રહ્યો, પણ એનું કંઈ પરિણામ આવ્યું નહિ, બલ્ક વિશેષ બગાડ થયો! શ્રમણોપાસક મહાશતકે ગૃહસ્થાધર્મની અંતિમ આરાધના કરી અનશન કર્યું. શુભ અધ્યવસાય ને કર્મોના ક્ષયોપશમથી એને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ વખતે ભગવાન મહાવીરે પોતાનું ૪૧મું ચાતુર્માસ રાજગૃહના ગુણશીલચૈત્યમાં કર્યું. રેવતી આ વખતે મહાશતક પાસે ગઈ ને બીભત્સ ચેષ્ટાઓ કરવા લાગી ને એના શ્રદ્ધેય પુરુષો માટે ગમે તેમ બોલવા લાગી. મહાશતકે એક વાર આંખ આડા કાન કર્યા, પણ આખરે પોતાના ઇષ્ટ દેવોની નિંદાથી તેને ક્રોધ થયો ને અવધિજ્ઞાન દ્વારા જ્ઞાત કરીને એણે પત્નીને કહ્યું : સાત દિવસ ભીતર, અલસ રોગથી પીડાઈને, મરીને તું નરકે જઈશ, હે ચંડે!” રેવતી શાપથી વિકલ થઈ, એને મોત નજર સામે રમવા લાગ્યું. ખરેખર સાત દિવસે એ ગુજરી ગઈ. ભગવાન મહાવીરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ઇન્દ્રભૂતિ ગૌતમને કહ્યું : “તમે મહાશતક પાસે જાઓ ને તેને ચેતવણી આપો, યથાર્થ સત્ય હોવા છતાં અપ્રિય કઠોર વચન બોલવાં એ અનશનધારી શ્રમણોપાસકને શોભતાં નથી. પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું ઘટે.” ગૌતમે મહાશતકને સંદેશો પહોંચાડ્યો, મહાશતકે પ્રાયશ્ચિત
SR No.032284
Book TitleMahek Manavtani
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1997
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy