SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સેંટ ઝેવિયર્સ સ્કૂલના અભ્યાસ સમયે એક શિક્ષકે પોતાના અનુભવનો નિચોડ આપતા એમ કહ્યું કે જિંદગીમાં ક્યારેય કોઈ આપણું કહ્યું કરે નહીં, ત્યારે બે શબ્દો યાદ રાખવા, એક શબ્દ છે ફરગેટ’ (ભૂલી જવું) અને બીજો શબ્દ છે “ફરગીવ' (માફ કરવું). જીવનમાં જો ‘ફરગેટ’ અને ‘ફરગીવ’ અપનાવશો, તો તમને જીવનમાં સાચો આનંદ મળશે. શિક્ષકની આ વાત ચંદ્રકાન્તભાઈને હેયા સોંસરવી ઉતરી ગઈ આ ‘ફરગીવ’ અને ‘ફરગેટનો ભાવ એમણે એમના જીવનમાં એવો તો વણી લીધો કે એને પરિણામે ક્યારેય એમને જીવનમાં કોઈના તરફ કટુતા જાગી નથી કે કશું ઓછું આવ્યું નથી. એમના જીવનની શાંતિમાં આ વિચારણાને કારણે ક્યારેય કોઈ ખલેલ ઊભી થઈ નથી. એમના સરળ સ્વભાવને સદાય સુંદર, ઉમદા જગત જ નિરખવા મળ્યું. એમની ઉમદા ભાવનાઓને પોતાની આસપાસ આનંદનો મહાસાગર ઉછળતો નજરે પડ્યો. અન્ય વ્યક્તિઓને તો ‘હસતે હસતે આના માટે, જીવનનો આનંદ મેળવવા માટે પ્રયત્ન કરવો પડે, જ્યારે ચંદ્રકાન્તભાઈના જીવનમાં સદાય સ્નેહ, સૌજન્ય અને મધુરતા હાથમાં હાથ મિલાવીને ચાલતા રહ્યા છે. ૧૯૪૮માં નવમી ડિસેમ્બરે ઊર્મિલાબહેન મણિલાલ મહેતા સાથે એમના લગ્ન થયા અને બંને પરસ્પરના પૂરક બની રહ્યા. કા કા ક ક lot Is મા તાર મા II
SR No.032284
Book TitleMahek Manavtani
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1997
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy