SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબંધ ૭ ૧૫ મંદિરના પુણ્યવિજ્યજી આદિ સંગ્રહ(ક્રમાંક - ૫૪૫૩)માં મળે છે. ૯૩ પત્ર ધરાવતી આ હસ્તપ્રત ૧૬મા સૈકાની લાગે છે. પત્રની વચ્ચે ફૂદડીમાં વચ્ચે આવેલા છિદ્રને કારણે આવું અનુમાન થઈ શકે. દરેક પૃષ્ઠ પર સેળ લીટી છે અને દરેક લીટીમાં અડતાળીસ અક્ષર છે. શ્રી ડૂગાપુર નગરીમાં આ સુદી ૧૫ આની રચના કર્યા હોવાનો ઉલ્લેખ મળે છે. આદિ- જનસુખાભીલાષી સ્યાદ્ધર્માત તત્વજ્ઞાન ભવતિ શાસ્ત્રાધિશમાજ્ઞાનમ્ તસ્યારંભમ કોમ્ય છે અંત – શ્રી ડૂગાપુર નગરી આ સુદિ ૧૫ દિને શ્રી કપૂરપ્રકરનું બાલાવબોધ કીધું. ઈતિશ્રી કપૂરપ્રકર બાલાવબોધઃ સમાપ્ત: શુભમતુ શ્રી સંઘસ્ય. શુભ ભવતુ. ૭. વામટાલંકાર બાલાવબોધ : કુશળ બાલાવબેધકાર ઉપાધ્યાય મેરુસુંદરની એક વિશેષતા એ કહેવાય કે એણે અલંકારશાસ્ત્ર પર બાલાવબંધ લખ્યા છે. સામાન્ય રીતે સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથના અનુવાદ કે ટીકા રૂપે ઘણા બાલાવબે મળે છે, પરંતુ અલંકારશાસ્ત્ર કે સાહિત્યશાસ્ત્રના ગ્રંથે પર બહુ ઓછા બાલાવબે લખાયા છે. ઉપાધ્યાય મેરુસુન્દરે આવા બે બાલાવબંધ લખ્યા છે. એક છે “વાક્ષટાલંકાર’ બાલાવબોધ અને બીજે છે બૌદ્ધ વિદ્વાન ધર્મદાસગણિકૃત વિદગ્યમુખમંડન નામના અલંકારશાસ્ત્રને બાલાવબોધ. વાગ્લટાલંકાર બાલાવબોધની રચના વાગભટ નામના જૈન વણિકે અણહિલપુર પાટણમાં જયસિંહ સિદ્ધરાજના રાજ્યકાળમાં કરી હોવાનું માનવામાં આવે છે. આમાં કુલ ૨૬૦ કલેકે છે અને તેમાં કાવ્યની વ્યાખ્યા, કવિપ્રતિભા, કાવ્યશરીર, નિબધ્ધ અને અછંદ વાય, પદ, વાક્ય અને અર્થના દે, દસ ગુણે, ચિત્ર, વકૅક્તિ, અનુપ્રાસ જેવા શબ્દાલંકાર, ૩૫ અર્થાલંકારે, વૈદર્ભે અને ગૌડી એ બે રીતિઓ તેમ જ નવ રસની ચર્ચા છે. આ
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy