SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ * કળા એટલે શું? ઇતિહાસમાં એવા સમય જ નહોતા કે જ્યારે લોકોનાં અમુક ખાસ મંડળોએ બેટી બેડોળ અને મૂર્ખતાભરી કૃતિઓને પણ કળા તરીકે કબૂલ નહોતી રાખી અને અપનાવી, પણ જેનું પછી નામનિશાનેય ન રહ્યું અને સૌ કોઈ તેને વીસરી ગયા! ( આવા દાખલા ઇતિહાસમાં પડેલા છે છતાં ફરી ફરીને એ જ પ્રમાણે અકલાને કલા ઠરાવ્ય રખાય છે! ) અને કળામાં ગાંડપણ તથા બેડોળતા કેટલી હદ સુધી જઈ શકે છે, તે તો આજે આપણા મંડળની કળામાં જે થયે જાય છે તે પરથી – અને ખાસ તો આજની જેમ જ્યારે કળા એમ જાણે છે કે પોતે ભૂલથી પર મનાય છે, ત્યારે જે થયે જાય છે તે પરથી – જોઈ લેવું. એટલે સાર એ થયો કે, સૌંદર્ય પર રચાયેલી કલા-વ્યાખ્યા, કે જેની મીમાંસા કલાનું શાસ્ત્ર કરે છે અને જેની ઝાંખી રૂપરેખા પોતાની કરીને લોક ગાયા કરે છે, તે બીજું કાંઈ નહિ પણ આપણને – એટલે કે અમુક વર્ગના લોકને – જેણે મજા કે આનંદ આપ્યાં છે ને આપે છે, તેને સારી તરીકે ઓઠવી દેતી ગોઠવણી જ માત્ર છે. ઉકેલને રસ્તો કોઈ પણ માનવ પ્રવૃત્તિની વ્યાખ્યા આપવી હોય તો તેનો અર્થ અને મહત્ત્વ સમજવાં જોઈએ. તે કરવા સારુ પહેલી જરૂર એ છે કે, તે પ્રવૃત્તિ પોતે શું છે તે, તથા તેનાં કારણો ઉપર તેનો કેવો આધાર છે ને તેનાં પરિણામો શો છે, તે બધાની સાથે તેને તપાસવી જોઈએ; તે પ્રવૃત્તિમાંથી જે મજા કે આનંદ આપણને મળે તે જ માત્રથી નહિ. અમુક પ્રવૃત્તિનો હેતુ આપણી મજાનો જ છે એમ કહી માત્ર તે મજા કે આનંદની મારફત જ જો તે પ્રવૃત્તિની વ્યાખ્યા કરીએ, તો તો આપણી વ્યાખ્યા ખોટી પડે, એ ઉઘાડું છે. પરંતુ કળાની વ્યાખ્યા કરવાના પ્રયત્નોમાં બરોબર આવું જ બન્યું છે. દા. ત. ખોરાકનો સવાલ વિચારતાં કોઈને એમ કહેવાનું નહિ સૂઝે કે, ખોરાકનું મહત્ત્વ તે ખાતાં મજા પડે છે તેમાં રહેલું છે. દરેક જણ સમજે છે કે, ખોરાકનાં લક્ષણોની
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy