SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ખરી કળાની ખાટનાં માઠાં ફળ . આમ, સત્ય શું છે' તે આદર્શની જગાએ, ‘સુંદર શું છે એટલે કે ‘મજેદાર શું છે' તે આદર્શ મુકાયો, એ આપણા સમાજમાં કલાની વિકૃતિનું ચેાથું અને એક કારમું પરિણામ છે. આવી કલા આમજનતામાં જો ફેલાય, તે માનવજાતની શી દશા થાય, એ વિચારવું ભયંકર છે. અને એ કલા કયારની ફેલાવા લાગી છે. ( ૧૭૩ છેવટનું પાંચમું અને મુખ્ય પરિણામ એ છે કે, યુરોપીય સમાજના ઉપલા વર્ગમાં જે કળા ફૂલે-ફાલે છે, તેની સીધી ઝેરી અસર પડે છે: ખરાબમાં ખરાબ લાગણી અને માનવજાતને માટે સૌથી વધુ નુકસાનકારક એવાં પેલાં જે વહેમ, દેશાભિમાન, અને સૌમાં ખાસ તે વિષયવાસના, તેમના ચેપ લેાકમાં તે ફેલાવે છે. આમજનતાના અજ્ઞાનનાં કારણેા કાળજીપૂર્વક તપાસા તે,− આપણે માનવાને ટેવાયા છીએ તે મુજબ, તેનું મુખ્ય કારણ શાળા પુસ્તકાલયાની ઊણપ છે એવું મુદ્દલ નથી એમ તમને જણાશે. તેનું મુખ્ય કારણ તે દેવળધર્મી ને દેશાભિમાનના વહેમા છે, કે જે બેઉથી લાક તરબાળ ભરેલા છે, અને જેમને કલાની બધી રીતે દ્વારા સતત ઉત્પન્ન કરાયે રખાય છે. પ્રાર્થના અને ભજનાનું કાવ્ય, ચિત્રો, બાવલાં ને મૂર્તિઓનું શિલ્પ, સંગીત, સ્થાપત્ય અને ધર્મવિધઓમાં આવતી નાટયકલા પણ,— આ બધાથી દેવળધર્મી વહેમા પેદા કરાય છે ને ટકાવાય છે. તે જ પ્રમાણે, કાવ્યા અને વાર્તા (કે જે શાળાઓમાં પણ પૂરાં પડાય છે ), સંગીત, ગીતા, વિજયકૂચા, દરબારો, યુદ્ધચિત્રો અને સ્મારકો આ બધા વડે દેશાભિમાનના વહેમ પેદા કરાય છે ને ટકાવાય છે. લેાકેામાં દેવળધર્મી અને દેશાભિમાની નશે। તથા કડવાશ કાયમી કરતી બધી કલાશાખાઓની આ સતત પ્રવૃત્તિ જો ન હોત, તેા લાક આ અગાઉ કયારના સાચા જ્ઞાનપ્રકાશ પામ્યા હાત. પરંતુ આ કલા માત્ર દેવળધર્મી ને દેશાભિમાની બાબતામાં જ ભ્રષ્ટ કરે છે એમ નથી; સમાજજીવનના સૌથી મહત્ત્વના પ્રશ્ન જે સ્ત્રીપુરુષસંબંધ, તેમાં, લોકોની વિકૃતિના મુખ્ય કારણ તરીકે, આપણા
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy