SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ કરીએ તો ખરેખર ગ્રંથોના ગ્રંથ ભરાય તેમ છે. તેઓના સમુદાયમાં વર્તમાન કાળે પણ અનેક વિદ્વાન, ત્યાગી,. તપરિવ અને પ્રભાવક સાધ્વીજીઓ સુંદર પ્રકારે સંયમી જીવન જીવી રહયાં છે. ખંભાતના વતની વીસા પિોરવાડ જ્ઞાતિય શ્રી ચીમનલાલ ચુનીલાલ તથા તેમના ધર્મ પત્નો શનિબેન ઘણાંજ ધર્મ શ્રદ્ધાળુ હતાં. શનિબેન: અનેક જાતની મુશ્કેલીઓમાંથી પસાર થઈ પૂજ્ય ગુરૂજી શ્રી પાસે સંયમ અંગીકાર કરી શ્રી રૈવતશ્રીજી નામ ધારણ કરૂ છે; તેઓ શ્રી જ્ઞાન-ધ્યાનમાં નિરંતર ઉદ્યમશીલ હતા. છેલ્લે ચાતુર્માસ ખંભાત પધારે છે. પરંતુ કાળની ગતિ વિચિત્ર છે, ખંભાત આવ્યા બાદ માત્ર વીશજ દિવસ બાદ સવારનું પ્રતિક્રમણ કરી હાર્ડ ફેઈલથી સમાધિપૂર્વક કાળધર્મ પામે છે. શ્રી ચીમનલાલભાઈ પણ ૫-પૂ-સિ–મ–આ–દે. શ્રીમદ્ વિ. પ્રેમસૂરીશ્વરજી પાસે દીક્ષિત થયેલા હતા. તેઓશ્રી પણ. વિશુદ્ધ ચારિત્ર પાળી કાળધર્મ પામેલા છે. આ પુસ્તક પ્રકાશન પણ પૂ-રેવતશ્રીજી મહારાજના શિષ્યા: પૂ–ચારિત્રશ્રીજી મહારાજને જ આભારી છે, જેઓ ૧૯ વર્ષની વયે દીક્ષિત થયેલાં અને જ્ઞાન ધ્યાનમાં ઉદ્યમશીલ રહેવા સાથે તપસ્વી પણ છે. જેઓએ મા ખમણ, સોળ, પંદર, અઠ્ઠાઈઓ, વરસીતપ, તેમજ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નવાણું યાત્રા, ઉપરાંત કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને ગુજરાત વિગેરેમાં વિહાર કરી યાત્રાને સારે લાભ લીધેલ છે. પૂ. રેવતશ્રીજી મહારાજના બીજાં સાધ્વીજીઓ પૂ-દેવાનંદાશ્રીજી, પૂ-કાંતપ્રભાશ્રીજી અને પ્રશિષ્યા પૂ. કુમુદશ્રીજી મહારાજ તથા પૂ-પુ દયાશ્રીજી મહારાજ પણ આ બાબતમાં સારો રસ લઈ રહયાં છે.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy