SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ - સંવત ૧૯૭૮ માં માગશર સુદ ૩ ના શુભ મુહુર્ત બાલ બ્રહ્મચારી બે ભાઈઓ તથા બાલ બ્રાચારી બે બા ઈઓ એમ ચારે જણની એકી સાથે દીક્ષા ધર્મ પ્રભાવના વખતે મહાન દિવ્ય ઓચ્છવ થએલ હતું, ને તે દીક્ષા પ્રસંગે ગામ પરગામથી ૧૦) હજાર માણસની ગંજાવર મેદની થઈ હતી, તે માણસને મહાન પુન્યશાલીઓની દીક્ષા જોઈ દરેકના આત્મામાં ધર્મ ભાવનાની જાગૃતી તેમજ શાશનની મહાન ઉન્નતી થઈ હતી. એ પ્રસંગે કેટલાકએ ચતુર્થવ્રત, બારવ્રત ઈત્યાદિ વ્રતરચ્ચારણ કર્યા હતાં. અને ઘણી ધામધુમ થઈ હતી. અને સંઘ તરફથી ૮૦ હજાર કરીને ખર્ચ થયો હતો. અને ત્યાંના દરબાર વાઘેલા રાણાશ્રી પુંજાજીએ અને આધસરના જાડેજા લખાણ દરબાર તરફથી પણ શ્રી સંધને સારી મદદ મળી હતી, અને તે વખતે સકલ સંઘમાં અસાધારણ આ નંદ આનંદ છવાઈ રહ્યો હતે. સં. ૧૯૪૯ માં અમદાવાદ માસા વખતે દીક્ષાની ઘણી ધામધુમ થઈ હતી. અને અઠાઈમહત્સવ થયો હતે. સં. ૧લ્પ૩ માં વિજાપુરમાં એક બાલ બ્રહ્મચારી બાઇની વૈશાખ સુદ ૧૫ ની દીક્ષા વખતે મહાન “દીક્ષા ઓચ્છવ થયા હતા. ત્યાંથી વિહાર કરતાં વસા પધાર્યા. અને ત્યાં સતર છેડનું ઉજમણું થયું હતું. સં. ૧૫૬ માં રાધનપુરમાં એક ભાઈની દીક્ષા વખતે શિષ્ટ દીક્ષા ઓચ્છવ થયે હતે.
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy