SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્રી પુનમની કથા. ૧૭ ભવમાં કરેલાં પાપ જ તે ભોગવે છે. તેથી તે દુઃખી થઈ છે ? ઉપર પ્રમાણેનાં પુંડરિક ગણધરનાં વચને સાંભળીને તે કન્યાની માતાએ કહ્યું કે “ભરતારના વિરહથી પીડાએલી એ આજે વૃક્ષની ડાળને વિષે ફાસો ખાઈને મરતી હતી. તેને ફાંસામાંથી બચાવીને હું આપની પાસે લાવી છું. માટે આપ એને સર્વ દુઃખથી મૂકાવનારી દીક્ષા આપે.” તે વખતે ગણધર મહારાજે કહ્યું કે “આ તારી પુત્રી દીક્ષા લેવાને અગ્ય છે.” ત્યારે માતાએ કહ્યું કે હે કૃપાળુ મહારાજ ! એને માટે જે એગ્ય ધર્મ હોય તે બતાવે.” તે વખતે ગુરૂએ કહ્યું કે “એને ચિત્રી પુનમની આરાધના કરાવે તે તેના અશુભ કર્મોને નાશ થાય.” તે વખતે કન્યાએ કહ્યું કે “મહારાજ ! તમે મને એની આરાધનાને વિધિ બતાવે.” તે વખતે ગણધર મહારાજે કહ્યું કે “ચત્ર સુદ પુનમના દિવસે શુભ ભાવથી ઉપવાસ કરે. ભગવંતના દેરાસરે જઈને તેમની પૂજા કરવી, સ્નાત્ર મહેત્સવ કર. સર્વ દેરાસરે વંદન કરવું. ગુરૂની પાસે ચેત્રી પુનમનું વ્યાખ્યાન સાંભળવું. દીન હીન જનેને દાન આપવું. શીયલ પાલવું, જીવની રક્ષા કરવી, મોતીથી અથવા ચાવલથી પાટ ઉપર વિમલગિરિની સ્થાપના કરવી. ગુરૂની પાસે પચે શસ્ત દેવ વાંદવા. દશ, વીશ, ત્રીસ, ચાલીશને પચાસ લેગસના કાઉસગ્ન કરવા. સ્તવન કહેવાં. બે ટંક પડિક્કમ્રણ કરવાં વગેરે દિવસ રાત્રીનાં કર્તવ્ય કરવાં. પારણને દિવસે મુનિ મહારા૧૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy