SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદનમાલા વરદત્ત ગુણમંજરીની જીવનકથા. જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં પદ્મપુર નામે પ્રસિદ્ધ નગરમાં અજિતસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને રૂપ લાવણ્યવાળી ચેસઠ કળામાં નિપુણ યશોમતી નામે રાણી તથા વરદત્ત નામે કુમાર હતા. તે પાંચ ધાવ માતાઓથી લાલન પાલન કરાતો આઠ વર્ષને થયે. તે વખતે માત પિતાએ શુભ મુહૂર્ત વિદ્યાભ્યાસ કરવા માટે પંડિત પાસે મૂક્યો. પંડિત પણ વરદત્ત રાજાને કુંવર હોવાથી તેને ખંતથી ભણાવવા લાગ્યા. પરંતુ કુમારને એક અક્ષર પણ મે ચઢતા નહોતા. તેથી ન્યાય વ્યાકરણ વગેરે ભણવાની તે શી આશા? વરદત્ત કુમારે પૂર્વભવમાં તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધેલ હોવાથી તે ભણું શક્ય નહિ. એમ વર્ષો જતાં અનુકમે તે યુવાવસ્થામાં આવ્યું. તે વખતે શરીરે કેઢ રેગ થવાથી તે દુઃખમાં દહાડા કાઢવા લાગે. તેજ નગરમાં સાત કેટિ સુવર્ણ માલિક સિંહદાસ નામે ઉત્તમ શેઠ હતું. તેને કપૂરતિલકા નામની સ્ત્રીથી ગુણમંજરી નામે એક પુત્રી હતી. તે જન્મથી રોગી અને મૂંગી હતી. અનેક જાતના ઉપચાર કરવા છતાં તેની અસર થઈ નહિ. તેથી તે દુઃખ ભગવતી યુવાવસ્થાને પામી. પરંતુ કઈ તેને પરણવા તૈયાર થયું નહિ. તેથી પરિવાર સાથે તેના મા બાપ દુઃખી થાય છે. એવામાં એક વાર ચાર જ્ઞાની શ્રી વિજયસેન સૂરિ નામના ગુરૂ મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે પુત્ર તથા
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy