SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૯ સમુદ્રમાં બૂડે. કારણ કે એક મિથ્યાત્વ છતાં સર્વ ક્રિયા સંસાર હેતુ જાણવી, મિથાત્ર પાંચ પ્રકારનું છે તે આગળ દેખાડે છે. (હો-સામ િવવિંશ, તેનો સંસા इणि परे चंवर आउ, (जीव) जाग सके तो जाग ॥१॥ આ અપાર સંસારને વિષે સંસારી જીર આશ્રવને વસ પડયા થકા ધર્મ પામી શકતા નથી. તે આશ્રવ આવવાનાં મૂળ હેતુ ચાર છે. અને ઉત્તર હેતુ સત્તાવન છે. તે મૂળ હેતુનું વિવરણ લખીએ છીએ – પ્રથમ મિથ્યાત્વ, બીજું અવત, ત્રીજું કષાય, ચેાથે જોગ. એ ચાર મૂળ હેતુ છે. હવે મિથ્યાત્વથકી મૂકાવું તે ઘણું કઠિણ છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય ગયો નથી ત્યાં સુધી કોઈ જીવ સમકિત પામી શકે નહિ, અને સમકિત વિના કોઈ જીવનું આત્મહિત કાર્ય થાય નહિ તે માટે પ્રથમ મિથ્યાત્વને તજવું. તે મિથ્યાત્વના જઘન્યથી પાંચ ભેદ છે, ઉત્કૃષ્ટ દશ ભેદ છે. પાંચ ભેદમાં પ્રથમ– ૧ અભિગ્રહ મિથ્યાત્વ, તે કેવું છે, કે લીધે હઠ છોડે નહિ, કેની પેઠે કે ગધેડાના પૂછવત. ૨ અનભિગ્રહ મિથ્યાત્વ, તે કેવું છે? સર્વેને દેવ ગુરૂ જાણે. પણ કોઈની પરીક્ષા જાણતો નથી, ભલા ભુંડાની ખબર નથી.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy