SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ઓની વિહાર ભૂમિ છે. જેને વિદ્વાને ભૂલભૂલામણીની ઉપમા. આપે છે. જ્યાં સુધી આત્મા કર્મ દેષને ક્ષય ન કરે, લાગેલા મેલને સંપૂર્ણપણે ઘોઈન નાખે, ત્યાં સુધી એ ભુલભુલામણીની બહાર આવી શકે જ નહિ. વિહારમુમિ ઉપર વિના વિશ્રામે વિહરનારને બંધન જ રહે. કર્મ મેલને જેઓએ સર્વથા ટાળે છે, તે અસંસારી સંપૂર્ણ સિદ્ધ પરમાત્મા કહેવાય છે. આત્માના સ્વાભાવિક જ્ઞાન દર્શન પ્રમુખ ગુણાનું પૂર્ણ પ્રગટ થયું તે જ પરમાત્માપણું. ૪ મુખ્ય કર્મ આઠ છે. તેના ઉત્તર ભેદમાં વધારેમાં વધારે ૧૫૮ પ્રકૃતિ છે, જેનો વિશ્વમાં સર્વથા પ્રચાર જોઈએ છીએ. કર્મ વસ્તુ પુદગલ છે અને તે ગ્રહણ કરાય છે. શબ્દ રૂ૫ રસને ગંધની જેમ જેનું ગ્રહણ થાય તે કર્મ. ગ્રહણ કરનાર આત્મ પ્રદેશો કે દેહ સંબંધી શુભાશુભ ચેષ્ટા કર્મ બતાવી આપે છે અને સુખ દુખ તથા સંશવાદિકના જ્ઞાનથી આત્માનું અસ્તિત્વ સમજાય છે. આ આત્મ પ્રદેશ સંખ્યામાં અસંખ્ય છે. તે સદા એક જુથમાંજ રહેવાવાળા છે. કદાપિ વિખુટા પડતા નથી. શરીરવશ પડવાથી તેમનું દર્શન શરીર દ્વારા થાય છે. તેમનાં શરીર બહુ જુદાં જુદાં પ્રમાણવાળાં હોય છે તે પણ એક સૂક્ષ્મ શરીરમાં એ બધા અસંખ્ય આત્મ પ્રદેશ અને મોટા બૃહદ સ્થળ શરીરમાં પણ તેટલાજ આત્મ પ્રદેશ હોય છે. હલકાં હોવાથી તેમના સ્થાન અનુસાર રૂની જેમ સંકેચ વિકેચ થઈ શકે છે. પરંતુ રૂ દેખી શકાય તેવું છે, રૂપી
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy