SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬o અઢાર સહસ સાધુને વિધિશું, વાંધા અધિકે હરખે; પછી શ્રી નેમિ જિનેશ્વર કેરાં, ઊભાં મુખડાં નિર એ. હે. પ્રભુજી નહિ જાઉં. ૨ નેમિ કહે તમે ચાર નિવારી, ત્રણ તણું દુઃખ રહીયાં કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદું, હર્ષ ધરી મન હૈયાં. હે પ્રભુજી નહિ જાઉં. ૩ નેમિ કહે એ ટાળ્યાં ન ટળે, એ વાતે એક વાત; કૃષ્ણ કહે મારા બાલ બ્રહ્મચારી, નેમિ જિનેશ્વર ભ્રાત. હો પ્રભુજી નહિ જાઉ. ૪ મોટા રાજની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળશે, સુર તરુ સરિખા અફલ જશે ત્યારે, વિષ વેલડી કેમ ફલશે. હે પ્રભુજી નહિ જાઉં. ૫ પેટે આવ્યા તે ભેરિંગ વેઠે, પુત્ર કપુત્ર જ જા; ભલો ભૂડે પણ જાદવ કૂળને, તુમ બાંધવ કહેવાય, હે પ્રભુજી નહિ જાઉં. ૬ છપ્પન કોડ જાદવને રે સાહેબે કૃષ્ણ જે નરકે જાશે, નેમિ જિનેશ્વર કે રે બાંધવ, જગમાં અપજશ થાશે. હે પ્રભુજી નહિ જાઉં. ૭ શુદ્ધ સમક્તિની પરીક્ષા કરીને, બોલ્યા શ્રી કેવલનાણી; નેમિ જિનેશ્વર દીયે રે દિલાસો, ખરે રૂૌ જાણી. હે પ્રભુજી નહિ જાઉં. ૮
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy