SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવમાધવુ શૈલી સ્વરૂપ }a üાયે વાસ થયા તા પણુ અતિપણે અને ઉદાસીનપણે તેને પ્રારüાય સમજીને વર્યાં છે; અને ત્યાગને લક્ષ રાખ્યા છે. આરંભ અને પરિગ્રહના જેમ જેમ માહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પાતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતુ નથી. તેટલા માટે તન, મન, ધનાદિ જે કઈ પાતાપણે વતતાં હાય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનુ જ ઉપદેશે છે. અને કરવા યેાગ્ય પણુ તેમજ છે કે, આરંભ-પરિગ્રહને વારવારના પ્રસંગે વિચારી વિચારી પેાતાનાં થતાં અટકાવવાં, ત્યારે મુમુક્ષુતા નિમ ળ હાય છે. જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી; તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કઈ મળ્યુ હાય તેનું સુખ તે ભાગવાતું નથી પરંતુ હાય તે પણ વખતે જાય છે; પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અક સ્માત યાગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તે બહુધા અધેાગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તા મુનિશ્વરે ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે... જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં. તે બહેાળા દુઃખના ભાગી થયા છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવવું ચેાગ્ય છે એવા ઉપદેશ થવા આ ભાવે દ્વિભગી કહી છે. ૧. જીવને મતિજ્ઞાનાવરણીય કયાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૨. જીવને શ્રુતજ્ઞાનાવરણીય કર્યાં સુધી હાય ? જ્યાં સુધી આરભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને અધિજ્ઞાનાવરણીય કયાં સુધી હેાય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. 3.
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy