SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ નિર્ણય લખે, તે સામાન્ય પ્રકારે તે યથાતથ્ય છે, તથાપિ “મન” તેને લઈને” અને “આ બધું અને તેને નિર્ણય એવા જે ચાર ભાગ એ વાકયના થાય છે, તે ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વતે છે વતે છે એ વાત નિશ્ચયરૂપ છે, તથાપિ ન વર્તતું હોય તે પણ તે આત્મસ્વરૂપને વિષે જ વતે છે. એ મન વશ થવાને ઉત્તર ઉપર લખે છે, તે સર્વથી મુખ્ય એવો લખે છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણાં પ્રકારે વિચારવાને યોગ્ય છે. જે ઈશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે, અને તેથીજ પિતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. બ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારમાં જ્યાં સુધી જીવને વહાલપ વતે છે ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપણે ભાસ્યમાન થવું અસંભવિત છે, જ્યાં સુધી તે સંસારગત વ્હાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરૂષાર્થને સ્વીકાર એગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. કોઈ કોઈ દુઃખના પ્રસંગમાં તેવું થઈ આવે છે, અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તે એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભેગવવું છે, માટે મનને કંટાળો જેમ બને તેમ શમાવવા અને ઉપાર્જન કર્યા ન હોય એવાં કમ ભોગવવામાં આવે નહીં એમ જાણે બીજા કોઈના પ્રત્યે દોષ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ ગ્ય લાગે છે, અને એજ જીવને કર્તવ્ય છે. વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિક રહિત
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy