SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ અનુભવ સ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વભાવ પ્રત્યેથી વ્યાવૃત (છૂટા) થવું કે જેથી ફરી જન્મમરણને ફેરે ન રહે. તે દેહ છેડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું એક્ષપદ નજીક છે. એમ પરમ જ્ઞાની પુરૂષને નિશ્ચય છે. આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વતે. એજ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે. જીવને દેહને સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે. અને તેમાં દઢ મેહથી એકપણુની પેઠે વતે છે, જન્મ મરણદિ સંસારનું મુખ્ય બીજ એજ છે. શ્રી સેભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે એમાં સંશય નથી. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી ભાગ જેવા વિરલા પુરૂષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સવેએ ખેદ શમાવવો, અને તેમના અદ્ભૂત ગુણોને અને ઉપકારી વચનને આશ્રય કરે એગ્ય છે. શ્રી સભાગ મુમુક્ષુઓએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સેભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા ગ્ય છે. લિંગદેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત ફેર થયે જણાયે, પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા. એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામજ દેહધારી દાખલ સત્ય હતું, એ આત્મદશારૂપે ખરે વૈરાગ્ય હતે. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમ રાગી હતે, સંસારને પરમ જુગુસિત હતું, ભક્તિનું પ્રાધાન્ય જેનાં અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યકુભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મેહનીય કર્મનું પ્રબળ જેનાં અંતરમાં બહુ શૂન્ય થયું
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy