SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ (૧) ક્રિયા કરવી નહીં, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય, બીજું કઈ પ્રાપ્ત થતું નથી; જેથી ચાર ગતિ રઝળવાનુ મટે તે ખરૂં એમ કહી સદાચરણ પુણ્યના હેતુ જાણ કરતાં નથી અને પાપનાં કારણે સેવતાં. અટકતાં નથી. આ પ્રકારના છાએ કાંઈ કરવું જ નહીં અને મોટી. મેટી વાત કરવી એટલું જ છે. આ જીવને “અજ્ઞાનવાદી તરીકે મુકી શકાય. લૌકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં. (૨) એકાંત ક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મુકતા નથી. આવા એને “ક્રિયાવાદી” અથવા કિયાજડ ગણવા. ક્રિયાજડને આત્માને લક્ષ હેય નહીં. (૩) અમને આત્મજ્ઞાન છે, આત્માને ભ્રાંતિ હેય જ નહીં, આત્મા કર્તાય નથી અને ભકતાય નથી, માટે કાંઈ નથી. આવું બોલનારાએ શુષ્ક અધ્યાત્મી પિલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતા અટકે નહીં. આવા ત્રણ પ્રકારનાં જીવે હાલમાં જોવામાં આવે છે, જીવે જે કાંઈ કરવાનું છે તે આત્માના ઉપકાર અથે કરવાનું છે તે વાત તેઓ ભુલી ગયા છે. હાલમાં ચોરાસીથી સો ગચ્છ થઈ ગયા છે. તે બધામાં કદાગ્રહો. થઈ ગયા છે, છતાં તેઓ બધાં કહે છે કે “જેન ધર્મમાં અમે જ છીએ. જૈન ધર્મ અમારો છે. ૨. અંતરાત્મા:- સાચા પુરૂષ મળે ને તેઓ જે કલ્યાણને માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વતે તે અવશ્ય કલ્યાણ થાય. સપુરૂષની આજ્ઞા પાળવી તેજ કલ્યાણ, માર્ગ વિચારવાનને પૂછવો, સપુરૂષનાં આશ્રયે સારાં આચરણ કરવાં, બેટી બુદ્ધિ સહુને હેરાન કર્તા છે પાપની કર્તા છે મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. શ્રાવક સર્વે દયાળુ હેય. કલ્યાણનો માર્ગ એક જ હેય. સો બસ ન હોય. અંદરના દોષો નાશ થશે, અને સમપરિણામ આવશે તેજ કલ્યાણ થશે. વિચારવાને બીજાં આલંબને મુકી દઈ, આત્માના પુરૂષાર્થને યે થાય તેવું આલંબન લેવું. કર્મબંધનનું આલંબન લેવું નહીં. આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા. અંતર્મુખ દષ્ટિ જે પુરૂષની થઈ છે, તે પુરૂષને પણ સતત
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy