SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું, નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ ચૈતન્યઘન પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે, આત્મા અત્યંત " પ્રગટ છે, કેમકે સ્વસવેદન પ્રગટ અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે. અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હેવાથી બ્રાંતિપણે પરભાવને કર્તા છે. તેના ફળને ભકતા છે. ભાન થયે સ્વભાવ પરિણામી છે. સર્વથા સ્વભાવ પરિણામ તે મેક્ષ છે. સદ્ગુરૂ, સત્સંગ, સશાસ્ત્ર, સવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે. અત્યંત સાચાં છે કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. બ્રાંતિપણે આત્મા પરભાવને કર્તા હોવાથી શુભાશુભ કામની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યુનાધિક પર્યાય ભેગવિવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. - નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપગે તન્મયાકાર, સહજસ્વભાવે નિવિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સમ્યકત્વ કહીએ છીએ. કવચિત્ મંદ, કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણ રૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયે પશમ સમ્યકત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી ત્યાં સુધી ઉપશમ
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy