SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ યોગ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, એક ભવનું સુખ મળે, ને પાછું ચાર ગતિમાં રઝળવું થાય. માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકાર અથે અહંકાર રહિતપણે કરવા કહી છે, તે પરમ જ્ઞાની પિતે પણ જગતના ઉપકાર અથે નિશ્ચય કરી સેવે છે. પ્ર. વ્રત નિયમ કરવાં કે નહીં? ઉ. વ્રત નિયમ કરવાં છે. તેની સાથે કજિયા-કંકાસ, છોકરાં હૈયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં, ઊંચી દશાએ જવા માટે વ્રત નિયમ કરવાં. ખેતી વાસનાઃ ધર્મના બેટા સ્વરૂપને ખરું જાણવું તે. ધર્મ સંન્યાસઃ ક્રોધ, માન, માયા, લેભ આદિ દે છેદ્યા તે. પ્ર. વ્યવહારમાં ચેથા ગુણસ્થાનકે કયા કયા વ્યવહાર લાગુ પડે? શુદ્ધ વ્યવહાર કે બીજા ખરા? ઉ. બીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે. પ્ર. પુરુષ કેમ ઓળખાય? ઉ. પુરુષે તેમનાં લક્ષણોથી ઓળખાય. સત્પરુષનાં લક્ષણોઃ તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હેય, તેઓ કેને જે ઉપાય કહે તેથી કેધ જાય, માનને જે ઉપાપ કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણની ઉપરને ઉપર જ હેય. જ્યાં સુધી જ્ઞાનીની વાણ સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રે પણ છાશબાકળા જેવા લાગે. સદ્દગુરુ અને અસદ્ગુરુનું ઓળખાણ સેનાની અને પિત્તળની કંઠીના એળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય અને સદ્ગુરુ મળે તે કર્મ ટળે. સદ્દગુરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાનાં કારણે મળે તે કર્મ બંધાય અને કર્મ ટાળવાનાં કારણે મળે તે કર્મ ટળે. તરવાના કામી હેય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખેટાં કહે
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy