SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ સુધી છે, નહીં તે જીવને પતિત થવાને ભય છે, એમ માન્યું છે, તે પછી પિતાની મેળે અનાદિથી બ્રાંત એવા જીવને સદ્દગુરૂના ગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હેયર નિજસ્વરૂપને દઢ નિશ્ચય વતે છે તેવા પુરૂષને પ્રત્યક્ષ જગદ્રવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે. તે પછી તેથી ન્યૂન દશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે? પિતાના વિચારના બળે કરી. સત્સંગ-સત્ શાસ્ત્રને આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી ગુરૂનું મહાગ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપક્ષ સત્ય દેખાય છે...... જન્મ, જરા, મરણદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થે દુર્લભ છે. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃિત્ત રૂપ કર્યું તે કલ્યાણમૂતિ સમ્યક્દર્શનને નમસ્કાર. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બેધ પામ્યા છે. જ્ઞાનીને અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યું નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામ્યો છે તે જીવને સમ્યકુદર્શન થાય છે. વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મા પરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવ સન્મુખતા તથા તેની દઢ ઈચ્છા પણ તે હર્ષ વિષાદને ટાળે છે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કઈ પણ મારાં, નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમા આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય. અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને.
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy