SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ કરવા ગ્ય, લક્ષ કરવા ગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. પરાનુગ્રહ પરમ કારૂણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિન પ્રતિમા થા, ચૈતન્ય જિન પ્રતિમા થા. હું અસંગ શુદ્ધ ચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. હું પરમ શુદ્ધ અખંડ ચિધાતુ છું. અચિત્ ધાતુના સંગ રસને આ આભાસ તે જુઓ! આશ્ચર્યવત્ આશ્ચર્યરૂપ ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ્પને અવકાશ નથી સ્થિતિ પણ એમ જ છે. હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. વ્યવહાર દષ્ટિથી માત્ર આ વચનને વક્તા છું. પરમાર્થથી તે માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નભિન્ન છે! ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન એ અવકાશ સ્વરૂપમાં નથી, વ્યવહાર-દષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગત સ્વરૂપે છે, હું સ્વ સ્વરૂપે છું. તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે. % શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. આકાશવાણું તપ કરે તપ કરે, શુદ્ધ મૈતન્યનું ધ્યાન કરે, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે. નમઃ કેવળજ્ઞાન એકજ્ઞાન
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy