SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૯૩ ઉન્મત્તતા-ભાગ બીજો શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંગને વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એ અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વિતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુત જ્ઞાનસ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશાગ્ય એવું “આચારાંગ સૂત્ર” છે, તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદેશામાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વશ્રુતજ્ઞાનનાં સાર સ્વરૂપ છે, સમ્યકત્વ સ્વરૂપ છે. તે વાકય પ્રત્યે ઉપલેગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વછંદે નિશ્ચય કરે તે છૂટવાને માર્ગ નથી. | સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તે પછી શ્રી દેવકરણજી પિતાને પરમાત્મસ્વરૂપ માને તે તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જીજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી, તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષની આસાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. કેઈપણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકચ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તે તે સંકલ્પેલું પ્રાયે જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે બેઠું છે. એમ જણાય છે યથાર્થ બેધ એટલે શું તેને વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પિતાની ૫ના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. કેઈ પણ પ્રકારની આકુળતા વિના, વૈરાગ્ય ભાવનાએ, વીતરાગ ભાવે, જ્ઞાની વિષે પરમભક્તિ ભાવે, સાસ્ત્રાદિક અને સત્સંગને પરિચય કરે હાલ તે
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy