SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ૨૮૧ રૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જેકે બને તેવું નથી; તે પણ સુલભધિ આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યો રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. તે મહાત્મા પુરુષના ગુણાતિશયપણથી, સમ્યકચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. તે પુરુષનાં વચને આગમ સ્વરૂપ છે, તે પણ વારંવાર પિતાથી વચનગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમને યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદશ્ય સ્મરણમાં ન રહે તેથી, તેમજ કેટલાક ભાવનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગધ્રુત વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. જોકે તેવા મહાત્મા પુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્માઓને વેગ બની જ શક્ત નથી, ત્યાં પણ વિશુદ્ધ દષ્ટિવાનને વીતરાગ શ્રત પરમપકારી છે. સપુરુષની વાણું સ્પષ્ટપણે લખાઈ હોય તે પણ તેને પરમાર્થ સપુરુષને સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થે નથી તેને સમજાવે દુર્લભ થાય છે. - તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મને (એક અંબાલાલ સિવાય) કેઈ અંશ જણાવ્યું નથી; અને જે માગ પામ્યા વિના કેઈ રીતે જીવને છૂટકે થે કેઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જે તમારી યેગ્યતા હશે તે આપવાની સમર્થતાવાળો પુરુષ બીજે તમારે શેધ નહીં પડે. એમાં કઈ રીતની પિતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યેગ્ય લાગતું નથી છતાં લખ્યું છે. નિરંતર ઉદાસીનતાને કમ સેવ, સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું, સત્યરુષનાં લક્ષણનું ચિંતન
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy