SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠઃ ૭. સત્ શાસ્ત્રને ઉપકાર નિરાગીનાં વચનને પૂજ્યભાવે માન આપું. શાસ્ત્ર વાંચું નિરાગી ગ્રન્થો વાંચું. તત્વને જ ગ્રહણ કર્યું. નિરાગી અધ્યયને મુખે કરૂં. ધર્મસ્થા શ્રવણ કરૂં. નિર્માલ્ય અધ્યયન કરૂં નહિ. જેન સૂત્રે હાલ વાંચવાની ઈચ્છા થાય તે તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે જૈન સૂત્રો) વાંચવા સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હેતી નથી, તથાપિ બીજા પુસ્તકોની ગેરહાજરી હેય, તે ‘ઉત્તરાધ્યયન” અથવા “સૂયગડાંગ'નું બીજું અધ્યયન વાંચશે, વિચારશે. એક નયથી એવી વિચારણું પણ થઈ શકે છે કે શા (લખેલાંના પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જે તત્ત્વ ન મળ્યું તે. કારણ બેયે બે જ ઉપાડ્યો. પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરૂપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પિતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે, અને જ્ઞાન દષ્ટિએ જોતાં મહત્વ તેનું જ છે, તે પણ બીજા નય પર હવે દષ્ટિ કરવી પડે છે. અને તે એ કે કઈ રીતે પણ શાસ્ત્રા. ભ્યાસ હશે તે કઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસને નિષેધ અહીં કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા. શાસ્ત્રાભ્યાસને તે નિષેધ કરીએ તે એકાંતવાદી નહીં કહેવાઈએ. પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પિતાના મમત્વભાવ રહિત રખાય તેજ આત્માર્થ છે, નહીં તે મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા ગ્ય છે. સપુરૂષ અને સશાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. જ્ઞાન અને અનુભવ હોય તે મોક્ષ થાય. શમ, સંવેગાદિ ગુણે ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષ
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy