SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સર્વજ્ઞ દેવ, નિગ્રંથ ગુરૂ અને સર્વ પદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્વ પ્રતીતિ પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણ, દશનાવરણ, સર્વમેહ અને સર્વવર્યાદિ અંતરાયને ક્ષય થવાથી આત્માને સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથ પદના અભ્યાસને ઉત્તરોત્તર કમ તેને માગે છે. તેનું રહસ્ય સર્વજ્ઞાપદિષ્ટ ધર્મ છે. સર્વરે કહેલું ગુરૂ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરે. જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયને ક્ષય થશે. પિતાની કલપનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. જ્ઞાનમય આત્મા જેમને પરમત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હે! નમન હો! બાર પ્રકારના નિદાન રહિત તપથી કર્મની નિરા, વૈરાગ્ય ભાવના ભાવિત, અહંભાવ રહિત એવા જ્ઞાનીને પ્રાપ્ત થાય છે. તે નિરો પણ બે પ્રકારની જાણવી. સ્વકાલ પ્રાપ્ત અને તપથી એક ચારે ગતિમાં થાય છે, બીજી વ્રતધારીને જ હોય છે. જેમ જેમ ઉપશમ ભાવની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય છે. તે નિર્જરાને ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતે પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક્દર્શન પામવાને છે એવા જીવ કરતાં અસંયત સમ્યકદષ્ટિને અસંખ્યાતગુણ નિરા તેથી દેશવિરતિ તેથી સર્વવિરતિ જ્ઞાનીને. સર્વ જીવને હિતકારી, સર્વદુઃખનાં ક્ષયને એક આત્યંતિક ઉપાય, પરમ સપાયરૂપ વીતરાગ દર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે જીવ ભવસાગર તરી જાય છે. પ્રજનભૂત જ્ઞાનના મૂળમાં પૂર્ણ પ્રતીતિમાં તેવાજ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીમાં અંશે સરખાપણારૂપ પ્રતીત થવું તે મિશ્ર ગુણસ્થાનક છે પરંતુ ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બને
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy