SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવબોધનું શૈલી સ્વરૂપ ધનાઢય–જેમ આપની ઈચ્છા હોય તેમ કરે. આપ વિદ્વાન છો. હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હેય તે ધમ ધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહે, આપની ઉપજીવિકાની સરળ યેજના જેમ કહે તેમ હું રૂચિપૂર્વક કરાવી આપું. અહીં શાસ્ત્રાધ્યયન અને સત્ વસ્તુનો ઉપદેશ કરે. મિથ્યારપાધિની લોલુપતામાં હું ધારું છું કે ન પડે. પંડિછ—આપે આપના અનુભવની બહુ મનન કરવા જેવી આખ્યાયિકા કહીં. આપ અવશ્ય કઈ મહાત્મા છે. પુણ્યાનુબંધી પુણ્યવાન જીવ છે, વિવેકી છે, આપની શક્તિ અદ્દભૂત છે. હું દરિદ્રતાથી કંટાળીને જે ઈચ્છા રાખતું હતું તે એકાંતિક હતી. આવા સર્વ પ્રકારના વિવેકી વિચાર મેં કર્યા નહોતા. આ અનુભવ, આવી વિવેકશક્તિ હું ગમે તે વિદ્વાન છું છતાં મારામાં નથી જ. એ હું સત્ય જ કહું છું. આપે મારે માટે જે પેજના દર્શાવી તે માટે આપને બહુ ઉપકાર માનું છું; અને નમ્રતાપૂર્વક એ હું અંગીકાર કરવા હર્ષ બતાવું છું, હુંઉપાધિને ચાહતે નથી. લક્ષમીને ફંદ ઉપાધિ જ આપે છે. આપનું અનુભવસિદ્ધ કથન મને બહુ રૂક્યું છે. સંસાર બળાતે જ છે, એમાં સુખ નથી. આપે નિરૂપાધિક મુનિસુખની પ્રશંસા કહી તે સત્ય છે. તે સન્માર્ગ પરિણામે સર્વોપાધિ, આધિ, વ્યાધિ અને સર્વ અજ્ઞાનભાવ રહિત એવા શાશ્વત મોક્ષને હેતુ છે. ધનાઢય–આપને મારી વાત રૂચી એથી હું નિરાભિમાનપૂર્વક આનંદ પામું છું. આપને માટે હું એગ્ય પેજના કરીશ. એમ પંડિતજી આપની અને મારી સુખ સંબંધી વાતચીત થઈ પ્રસંગેપાત તે વાત ચર્ચતા જઈશું, તે પર વિચાર કરીશું. આ વિચારે આપને કહ્યાથી મને બહુ આનંદ થયે છે. આપ તેવા વિચારને અનુકૂળ થયા એથી વળી આનંદમાં વૃદ્ધિ થઈ છે. જે વિવેકીએ આ સુખ સંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy