SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પ્રજ્ઞાવભેાધનું શૈલી સ્વરૂપ નથી, એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે, ખાવાને વિષે, પીવાને વિષે, ખેલવાને વિષે, શયનને વિષે, કે લખવાને વિષે કે ખીજા' વ્યવહારિક કાર્યને વિષે જેવા જોઇએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી અને તે પ્રસ ંગે રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે; અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે; અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા (રહ્યા કરે છે) રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગેાની આપત્તિને લીધે કેટલેાક તે સ્થિતિના વિયાગ રહ્યા કરે છે, અને તે વિયેાગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. આજ લવને વિષે; અને થાડાજ વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે કવચિત્ જ, મદપણે પ્રવતે છે. થાડાજ વખત પહેલાં, એટલે થાડાં વર્ષો પહેલાં વાણી ઘણું ખેાલી શકતી, વકતાપણે કુશળતાથી પ્રવતી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવતે છે. ઘેાડાં વષ પહેલાં, થાડા વખત પહેલાં લેખન શક્તિ અતિ ઉગ્ર હતી; આજે શુ' લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે; અને પછી પણ જે કંઈ લખાય છે તે, ઈચ્છેલું અથવા યાગ્ય વ્યવસ્થાવાળું લખાતુ નથી; અર્થાત્ એક આત્મપરિણામ સિવાય સ` બીજા પરીણામને વિષે ઉદાસીનપણુ વતે છે; અને જે કઇ કરાય છે તે જેવા જોઇએ તેવા ભાનના સેક્રમા અશથી પણ નથી થતું. જેમ તેમ અને જે તે કરાય છે. લખવાની પ્રવૃત્તિ કરતાં વાણીની પ્રવૃત્તિ કઈક ઠીક છેઃ જેથી કઈ આપને પૂછવાની ઇચ્છા હાય; જાણવાની ઈચ્છા હાય તેના વિષે સમાગમે કહી શકાશે. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવા પરમ પુરૂષે કરેલા નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. જે કંઈ ઉપાધિ કરાય છે, તે કઈ ‘સ્વપણાને' કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણે કરાય છે, તે કારણુ અનુ
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy