SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ ( શિક્ષાપાઠઃ ૫૪ જિનમત નિરાકરણ ભાગ ૨ જો સમ્યક્દર્શન, સમ્યકૂજ્ઞાન અને સમ્યફ ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગેએ કહી છે, જે કે સમ્યક્ જ્ઞાનથી જ સમ્યક્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તે પણ સમ્યક્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્મદર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યક્રશન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યફ ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતુ જાય છે, અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાને વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતું જાય છે, અને કેમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવ રૂપ મેક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે, સમ્યક્ દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે એ સમ્યક્દર્શનને પરમ ઉપકાર છે તેમ સમ્યક્દર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય તેને અથે સમ્યકજ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યક્તા છે. તે સમ્યકજ્ઞાન પ્રાપ્તિને ઉપાય વીતરાગદ્યુત અને તે શ્રુત તપદેષ્ટા મહાત્મા છે. तहा रुघाण समणाण તે શ્રમણ મહાત્માઓનાં પ્રવૃત્તિ લક્ષણ પરમ પુરૂષે આ પ્રમાણે કહ્યાં છે. અત્યંતર દશાના ચિન્હ તે મહાત્માઓનાં પ્રવૃત્તિ લક્ષણથી નિર્ણત કરી શકાય, જે કે પ્રવૃત્તિ લક્ષણ કરતાં અત્યંતર દશા વિષેને નિશ્ચય અન્ય પણ નીકળે છે. કેઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અત્યંતર દશાની પરીક્ષા આવે છે. એવા મહાત્માઓના સમાગમ અને વિનયની શી જરૂર? ગમે તે પુરૂષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરૂષથી જીવ કલ્યાણને યથાર્થ માગ શા માટે ન પામી શકે ? એવી આશંકાનું સમાધાન કરવામાં આવે છે. એવા મહાત્મા પુરૂષને વેગ બહુ બહુ
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy