SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાબોધનું શૈલી સ્વરૂપ માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપ માત્ર દર્શાવું છું. - (અ) મારૂં કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કઈ મહાત્માઓ ગત ભવને જાતિ સ્મરણ-જ્ઞાન વડે જાણી શકે છે, જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક્ હોય છે. ઉત્કૃષ્ટ સપ્ટેગ-જ્ઞાનયોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્ય કાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે, અને શંકાસહ પ્રયતન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. | (આ) “પુનર્જન્મ છે” આટલું પરાક્ષે–પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરૂષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલ આશય મને જે અનુભવગમ્ય થયું છે તે કંઈક અહી દર્શાવી જઉં છું. | સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખને અનુભવ કરે પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ. એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણું ઉદય પામે છે. અને તે પરથી અનુક્રમે આત્મા કર્મ, પરલેક મોક્ષ આદિ ભાવેનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે. વર્તમાનમાં જે પિતાનું વિદ્યમાનપણું છે, તે ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હેવું જોઈએ અને ભવિષ્યમાં પણ તેમજ હેવું જિઈએ. આ પ્રકારના વિચારને આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાત હેવાપણું ન હોય, તે મધ્યમાં તેનું હવાપણું ન હોય એવો અનુભવ વિચારતાં થાય છે. વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હવાપણું છે, રૂપાંતર પરિણામ થયા કરે છે, વસ્તુતા ફરતી નથી, એ શ્રી જિનને અભિમત છે. તે વિચારવા યોગ્ય છે, જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે તેમતેમ જ્ઞાનીનાં વચનેને વિચાર યથા ગ્ય થઈ શકે છે. સર્વજ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એજ છે. એમ વીતરાગ પુરૂષએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. રુઝ શાંતિ
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy