SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષના લક્ષણ અને ભેદ 41 ઉત્તર જો એ ન લખીએ તો લક્ષણ માત્ર “જ્ઞાન પ્રત્યક્ષ' એટલું જ થાય. હવે, જ્ઞાન તો અનુમિતિ વગેરે રૂપ પણ છે જ. પણ અનુમિતિ વગેરે તો લક્ષ્યતર છે. માટે અતિવ્યામિ દોષ આવે. ઇકિસજન્ય એટલું ઉમેરીએ એટલે એ દોષ નહિ આવે, કારણ અનુમિતિ વગેરે જ્ઞાન રૂપ છે, પણ ઇન્દ્રિયજન્ય નથી (કિન્તુ વ્યાતિજ્ઞાનજન્ય છે.) એટલે અતિવ્યાતિ દોષ નહિ આવે. પ્રશ્ન તો પછી “જ્ઞાન” લખવાની શી જરૂર છે? માત્ર નિત્યં પ્રત્યક્ષ' એટલું જ લખો ને? ઉત્તરઃ ઇન્દ્રિય અને વિષયનો સંયોગ પણ ઇન્દ્રિયજન્ય તો છે જ. પણ એ સંયોગ કાંઈ પ્રસ્તુતમાં “લક્ષ્ય' નથી. માટે અતિવ્યાતિદોષ આવે. એનું વારણ કરવા “જ્ઞાન” શબ્દ છે. એ સંયોગ ઇન્દ્રિયજન્ય હોવા છતાં “જ્ઞાન” રૂપ તો નથી જ, માટે અતિવ્યામિ દોષ નથી. આવી વિચારણાને પદકૃત્ય કર્યું કહેવાય. આ લસણ વાસ્તવિક આવું કહેવાય. इन्द्रियन्यत्वे सति ज्ञानत्वम् प्रत्यक्षत्वम् अथवा इन्द्रियजन्यत्वविशिष्टज्ञानत्वं प्रत्यक्षत्वम् । . એટલે કે આવો ‘ઇન્દ્રિયજન્યત્વ' એવા વિશેષણયુક્ત જ્ઞાનત્વ ધર્મ જેમાં હોય તે બધું પ્રત્યક્ષજ્ઞાન હોય, અને જે કોઈ પ્રત્યક્ષજ્ઞાન રૂપ હોય તે બધામાં આવો ધર્મ રહ્યો હોય. પ્રશ્નઃ તમારા લક્ષણમાં હજુ પણ અવ્યાપ્તિદોષ રહ્યો જ છે. કારણ કે ઈશ્વરનું જ્ઞાન પ્રત્યક્ષ છે. પણ તેમાં ઇન્દ્રિયજન્યત્વ નથી. (કેમ કે એનું જ્ઞાન નિત્ય હોવાથી જન્ય જ નથી.) (ઈશ્વરનું જ્ઞાન પણ પ્રત્યક્ષ છે એની સિદ્ધિ આગળ કરીશું.) ઉત્તર : તમારી વાત સાચી છે. એનું વારણ નીચેની બે રીતે કરી શકાય ? (૧) લક્ષણને બદલીને અને (૨) ઈશ્વરજ્ઞાનને લક્ષ્યમાંથી બાકાત રાખીને. (૧) નવું લક્ષણ આવું બનાવવું? अनुमानोपमानशब्दअनुभवाजन्यं ज्ञानं प्रत्यक्षम् જે જ્ઞાન અનુમાનાદિ ૪ થી જન્ય નથી તે પ્રત્યક્ષ. [જ્યાં વિધિથી લક્ષણ ન મળે (એટલે કે “જે આવું હોય તે આ એવું લક્ષણ નમળે) ત્યાં નિષેધ મુખે લક્ષણ શોધવું જોઈએ. (એટલે કે જે આવું ન હોય તે આ' એવું લક્ષણ શોધવું જોઈએ.)] અથવા આને જ ટૂંકમાં એમ કહી શકાય, જ્ઞાનાવરણ જ્ઞાન પ્રત્યક્ષમ્ | જે જ્ઞાનનું કરણ અન્યજ્ઞાન ન હોય તેવું જ્ઞાન એ પ્રત્યક્ષ... અનુમિતિ, ઉપમિતિ, શાબ્દબોધ અને સ્મૃતિ... આ ચારનું વ્યાતિજ્ઞાનવગેરે એકરણ છે, તેથી એ બધાજ્ઞાનકરણકજ્ઞાન કહેવાય. પ્રત્યક્ષ એવું નથી. ઈશ્વર પ્રત્યક્ષ તો નિત્ય હોઈ એનું કોઈ કરણ જ નથી. જીવાત્માના પ્રત્યક્ષનું કરણ ઇન્દ્રિય હોય છે જે જ્ઞાનરૂપ નથી. આવું લક્ષણ કરવાથી અવ્યાપ્તિદોષ રહેતો નથી. (૨) નિયનચંજ્ઞાનંપ્રત્યક્ષ એવું જ લક્ષણ રાખવું હોય તો એ જીવાત્માઓના પ્રત્યક્ષનું લક્ષણ જાણવું. (ઈશ્વપ્રત્યક્ષભિન્ન પ્રત્યક્ષનું લક્ષણ જાણવું.) આ પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારે છે : (૧) નિર્વિલ્પક અને (૨) સવિકલ્પક (સરકારક). જેમાં ભેગો પ્રકાર પણ ભાસતો હોય તે જ્ઞાનો સમકારક કહેવાય છે. કોઈપણ પ્રકાર જેમાં ભાસતો ન હોય તેવું જ્ઞાન એ નિર્વિકલ્પકપ્રત્યક્ષ છે. કોઈપણ આકારવાળું જ્ઞાન થાય (એટલે કે ઉલ્લેખવાળું જ્ઞાન થાય) એ બધું સપ્રકારક હોય છે. દા. ત. “ઘટઃ' એવું જ્ઞાન.... આનું કારણ એ છે કે “ઘટ” એવો ઉલ્લેખ ક્યારે થાય? સામી વસ્તુમાં રહેલા “ઘટવ' ધર્મને આગળ કરવામાં આવ્યો હોય તો ને? એટલે કે સામી વસ્તુ ઘટત્વવાળી છે એવો તો નિર્ણય એમાં થઈ જ જાય ને? માટે એ ઘટત્વBRવજ્ઞાન કહેવાય.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy