SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ an ન્યાયભૂમિકા પ્રત્યક્ષાદિ ૪ પણ યથાર્થજ્ઞાનરૂપ હોય તો જ પ્રમા છે. માટે તેના પ્રમાણાદિનો વિચાર કરવો છે. પ્રમા (જ્ઞાન) (પ્રમિતિ) પ્રમાણ પ્રમેય (વિષય) (જ્ઞેય). પ્રત્યક્ષ પ્રત્યક્ષ (ઇન્દ્રિય) પ્રત્યક્ષ અનુમિતિ અનુમાન (વ્યાતિજ્ઞાન) અનુમેય ઉપમિતિ ઉપમાન (સાદશ્યજ્ઞાન) ઉપમેય શાબ્દબોધ શબ્દ-આગમ (શબ્દજ્ઞાન) કોઈ વિશેષ શબ્દ નથી. પ્રત્યક્ષ જે જ્ઞાન થાય છે તેનું પ્રમાણ અને પ્રમેય પણ પ્રત્યક્ષ' કહેવાય છે. જેમ કે, ઘડાનું જ્ઞાન થયું હોય તો કહેવાય છે કે “મને ઘડાનું પ્રત્યક્ષ થયું. “ઘડો કયા પ્રમાણથી સિદ્ધ છે?' એવા પ્રશ્નનો જવાબ અપાય છે કે “પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ છે. વળી એમ પણ કહેવાય છે કે “મને ઘડો પ્રત્યક્ષ છે.” આમ ત્રણે અર્થમાં પ્રત્યક્ષ શબ્દ વપરાય છે. માટે જ્યાં પ્રત્યક્ષ' શબ્દ વપરાયો હોય ત્યાં તે કયા અર્થમાં વપરાયો છે તેની આજુબાજુની વાત પરથી યથાર્થ નિર્ણય કરવો. “અનુમાન' શબ્દ અનુમિતિના અર્થમાં પણ પ્રસિદ્ધ છે. વ્યાપ્ય-વ્યાપક ભાવવાળા પદાર્થો માટે આપણે જોઈ ગયા કે જ્યાં વ્યાપ્ય હોય ત્યાં વ્યાપક હોય જ છે. તેથી ક્યારેક વ્યાપ્યનું જ્ઞાન થતું હોય પણ વ્યાપકનું જ્ઞાન થતું ન હોય ત્યારે પણ વ્યાપ્યની હાજરીના નિર્ણયથી વ્યાપકની હાજરીનો નિર્ણય થઈ શકે છે. આ રીતે વ્યાપ્યથી વ્યાપકની જે સિદ્ધિ થાય છે તેને અનુમિતિ કહેવામાં આવે છે. દુનિયામાં જીવનવ્યવહારાદિમાં જે કોઈ કલ્પનાઓ કરાય છે તે બધી આ એક પ્રકારની અનુમિતિઓ જ છે. જેની કલ્પના કરાય છે તે અનુમિતિનો વિષય (અનુમેય) સાધ્ય છે. જેના પરથી કલ્પના કરાય છે તે હેતુ છે. સાધ્ય એ વ્યાપક હોય છે અને હેતુ એ વ્યાપ્ય (વ્યાપ્તિમાન) હોય છે. નીચેની બાબતો સમજી રાખો: જેમાં સાધ્યની સિદ્ધિ કરવાની હોય છે તે પક્ષ (પર્વત) કહેવાય છે. જે સિદ્ધ કરવાનું હોય તે સાધ્ય (અગ્નિ). જેનાથી સિદ્ધ કરવાનું હોય તે હેતુ (ધૂમ). જ્યાં જ્યાં હેતુ (ધૂમ) ત્યાં ત્યાં સાધ્ય (અગ્નિ). આ અન્વયવ્યામિ છે. જ્યાં જ્યાં સાધ્યાભાવ (વહ્નિનો અભાવ) ત્યાં ત્યાં હેતુનો અભાવ (ધૂમાભાવ)... આ વ્યતિરેક વ્યક્તિ છે. હેતુ હોવા છતાં સાધ્ય ન હોય એ અન્વયવ્યભિચાર છે. સાધ્યાભાવ હોવા છતાં હેત્વભાવ ન હોય એ વ્યતિરેકવ્યભિચાર છે. અનુમાન પ્રયોગ માટે પાંચ વાક્યો જોઈએ છે. એને પંચાવયવ પ્રયોગ કહેવામાં આવે છે. (૧) પ્રતિજ્ઞાવાક્ય પક્ષઃ સર્ણવાનું જેમકે પર્વતો વહિમાનું (૨) હેતુવાક્ય પક્ષઃ દેતુમાન જેમકે પર્વતો ઘૂમવાન (૩) દૃષ્ટાન્તવાક્ય યત્ર યત્ર હેતુતત્ર તત્ર જેમ કે જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં (ઉદાહરણ વાક્ય) સર્ણ યથા...(મનરે) ત્યાં અગ્નિ, જેમ કે રસોડામાં... વત્ર યત્ર મધ્યમવઃ તત્ર જ્યાં જ્યાં અગ્નિનો અભાવ ત્યાં ત્યાં ધૂમાડાનો અભાવ તત્ર દેત્વમાવઃ યથા..જેમ કે સરોવરમાં... (૪) ઉપનયવાક્ય પક્ષઃ સાધ્યાત્માનું પર્વતો વદ્વિવ્યાઘૂમવાન (પરામર્શ) (૫) નિગમન પક્ષઃ સાપ્નવાનું पर्वतो वह्निमान् (નિષ્કર્ષ સમિતિ)
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy