SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુjજમતા 149 तदन्या परमाणुभिन्ना पृथिवी द्व्यणुकादिरूपा सर्वाऽप्यनित्येत्यर्थः । सैव-अनित्या पृथिव्येवावयववतीत्यर्थः । (કા.) તે પૃથ્વી નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે છે. એમાં પરમાણુ રૂપ પૃથ્વી નિત્ય છે. તેનાથી ભિન્ન પૃથ્વી = ચણુકાદરૂપ બધી પૃથ્વી અનિત્ય છે. તે અનિત્ય પૃથ્વી જ અવયવવાળી છે. (મુ.) (કારિકા જેવો જ અર્થ જાણવો.). (વિ.) નિત્યત્વ = પ્રાગભાવ પ્રતિયોગિત્વે સતિ ધ્વંસાપ્રતિયોગિત્વમ્... છતાં લાઘવ કરવું હોય તો, ધ્વમિત્રત્વે સતિ ધ્વસ પ્રતિયોગિતં નિત્યર્વમ્ એવું લક્ષણ જાણવું. (मु.) नन्ववयविनि किं मानम् ? परमाणुपुञ्जरेवोपपत्तेः । न च परमाणूनामतीन्द्रियत्वाद् घटादीनां प्रत्यक्षं नस्यादिति वाच्यम्, एकस्य परमाणोरप्रत्यक्षत्वेऽपि तत्समूहस्य प्रत्यक्षत्वसंभवात्, यथैकस्य केशस्य दूरेऽप्रत्यक्षत्वेऽपि तत्समूहस्य प्रत्यक्षत्वम् । न चैको घटः स्थूल इति बुद्धेरनुपपत्तिरिति वाच्यम्, एको महान् धान्यराशिरितिवदुपपत्तेः। (પરમાણુjજવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ) (મુ.) અવયવી માનવામાં શું પ્રમાણ છે? કારણ કે પરમાણુપુંજ (માની લેવાથી જ અવયવી તરીકે અભિપ્રેત ઘટાદિની) સંગતિ થઈ જાય છે. “પરમાણુઓ અતીન્દ્રિય હોવાથી ઘટાદિનું પ્રત્યક્ષ નહીં થાય” એવી શંકા ન કરવી, કારણ કે એક પરમાણુ અપ્રત્યક્ષ હોવા છતાં તેનો સમૂહ પ્રત્યક્ષ હોય શકે છે. જેમ દૂર રહેલ એક વાળ દેખાતો નથી, પણ એનો સમૂહ દેખાય છે. “આ એક મોટો ઘડો-એવી બુદ્ધિ અસંગત કરશે એવી પણ દલીલ ન કરવી, કેમ કે “એક મોટો ધાન્યનો ઢગલો” એવી બુદ્ધિની જેમ એની પણ સંગતિ થઈ શકે છે. (વિ.) બૌદ્ધોએ ચાર જાતના પરમાણુઓ માનેલા છે. ૧. ખર. ગંધ, રસ, રૂપ, સ્પર્શવાળા આનો સંઘાત એ પૃથ્વી. ૨. સ્નેહ. રસ, રૂપ, સ્પર્શવાળા આનો સંઘાત એ જળ. ૩. ઔણ્ય. રૂપ, સ્પર્શવાળા આનો સંઘાત એ તેજ. ૪. ઈરણ... સ્પર્શવાળા આનો સંઘાત એ વાયુ. ઘડા જેવું કોઈ સ્વતંત્ર અવયવી દ્રવ્ય નથી. પણ પાર્થિવ પરમાણુઓનો વિશિષ્ટ પુંજ એ જ લોકમાં “ઘડા' તરીકેનો વ્યવહાર પામે છે. પરમાણુઓનો વિલક્ષણ સંયોગ એ પુંજ છે. આવા પુંજથી જ, કહેવાતા ઘડાની સંગતિ થઈ જાય છે તો નવું સ્વતંત્ર અવયવી દ્રવ્ય માનવાનું ગૌરવ શા માટે વહોરવું જોઈએ? (૧) શંકા - પરમાણુ અતીન્દ્રિય હોવાથી એનો સમુદાય (પંજ) પણ અતીન્દ્રિય રહેવાના કારણે ઘડા વગેરેનું ક્યારેય પ્રત્યક્ષ નહીં થવાની આપત્તિ આવશે. ક સમાઘાન - દૂર રહેલો એક વાળ જેમ દેખાતો ન હોવા છતાં વાળનો ઢગલો પડ્યો હોય તો દેખાય છે એમ પરમાણુ અપ્રત્યક્ષ હોવા છતાં પરમાણુપુંજ પ્રત્યક્ષ હોવો સંભવિત છે. શંકા - ઘડા જેવું અવયવી દ્રવ્ય માનીએ તો તો એ એક ને મોટો માની જ શકાય છે. પણ હવે જો ખાલી પરમાણુઓ જ માનવાના હોય તો તો તે અનેક હોવાથી ને સૂક્ષ્મ હોવાથી એકત્વ ને સ્થૂલત્વની બુદ્ધિ શી રીતે થાય? એટલે પોપટઃ પૂર્વ આવી જે પ્રતીતિ થાય છે એની સંગતિ શી રીતે કરશો?
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy