SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સાધર્મ્યુપ્રકરણ (સાધર્મ્સ-વૈદ્યમ્ય) (મુ) હવે પદાર્થોનું સાધર્મ અને વૈધર્મે શબ્દોનો અર્થ જણાવવા માટે સમાસ વિગ્રહ કરી દેખાડે છે.) સમાન છે ધર્મ જેઓનો તે (પદાર્થો) સધર્મ(ન) કહેવાય. તેઓનો ભાવ તે સાધર્મ્યુ. (એટલે કે સાધર્મ્યૂશબ્દનો) ર થાય છે. એમ વિરુદ્ધ છે ધર્મ જેઓનો તે (પદાર્થો) વિધર્મ(ન) કહેવાય. તેઓનો ભાવ તે વૈધર્મ. (એટલે કે વૈધર્મે' શબ્દનો) વિરુદ્ધધર્મએવો અર્થ ફલિત થાય છે. શેયત્વએટલે જ્ઞાનવિષયતા(એસાતે પદાથોનુ સાધર્મેછે.) અને તે સર્વત્ર(=સાતે પદાર્થોમાં) રહેલી છે, કારણ કે ઈશ્વરના જ્ઞાનની વિષયતા કેવલાન્વયી છે. આ જ રીતે અભિધેયત્વ, પ્રમેયત્વ વગેરે પણ (સાતે પદાર્થના સાધર્યરૂપે) જાણવા. ll૧૩ (વિ.) (૧) સમાન ધર્મ તે સધર્મ. સદ્ધર્મનો ભાવ તે સાધમ્પ. આવો સમાસ કોઈ ન કરે, માટે એનો બહુદ્ધસિમાસ કરી બતાડ્યો છે-સમાન છે ઘર્મ જેઓનો તે સઘર્માણ , એનો ભાવ એ સાદર્પ (=સમાન ધર્મવાળાપણું). એટલે કે સમાનધર્મ એવો અર્થ ફલિત થશે. એ જ પ્રમાણે વિરુદ્ધ છે ધર્મ જેઓનો તે વિદ્યર્માણ, તેનો ભાવ એ વૈઘમ્યું, એટલે કે વિરુદ્ધ ધર્મ તે વૈઘમ્ય. યત્વ વગેરે સાતે પદાર્થોનું સામ્યું છે. આમાં શેયત્વ=જ્ઞાનવિષયત્વ, વિશ્વના ભાવ-અભાવ સમસ્ત પદાર્થો ઈશ્વરના જ્ઞાનના વિષય બને છે. માટે ઈશ્વરીયજ્ઞાનની વિષયતા સર્વત્ર રહી છે, ક્યાંય એનો અભાવ નથી. જેનો ક્યાંય અભાવ ન મળતો હોય, માત્ર અન્વય મળતો હોય એને કેવલાન્વયી કહેવાય છે. આમ ઈશ્વરીયજ્ઞાનવિષયત્વ કેવલાન્વયી હોવાથી જ્ઞેયત્વ એ સાતે પદાર્થોનું સામ્યું છે. “આદિ શબ્દથી અભિધેયત્વ (=અભિધાવિષયત્વ), પ્રમેયત્વ (=પ્રમાવિષયત્વ) વગેરે સાધર્મ્સ જાણવું. આમાં “અભિધા' એટલે “આ પદથી (=શબ્દથી) આ અર્થ જાણવો’ એવો સંકેત. કેવલાન્વયિત્વ અત્યન્તાભાવાપ્રતિયોગિત્વરૂપ જાણવું. (વ.) દ્રવ્યાલય: પ% માવા અને સામાયિન: | (मु.) द्रव्यादय इति । द्रव्यगुणकर्मसामान्यविशेषाणांसाधर्म्यमनेकत्वंसमवायित्वंच । यद्यप्यनेकत्वमभावेऽप्यस्ति तथाप्यनेकत्वेसति भावत्वं पञ्चानां साधर्म्यम् । तथा चानेकभाववृत्तिपदार्थविभाजकोपाधिमत्त्वमिति फलितोऽर्थः, तेन प्रत्येकं घटादावाकाशादौ च नाऽव्याप्तिः । | (દ્રવ્યાદિ પાંચનું સાધમ્ય) (ક.) દ્રવ્ય વગેરે પાંચ “અનેક ભાવ છે અને “સમવાયી હોય છે. (મુ.) દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ (આ પંચ પદાર્થોનું) સાધર્મ અનેકત્વ અને સમાયિત્વ છે. જો કે અનેકત્વ અભાવમાં પણ રહ્યું છે, તો પણ અનેકત્વ હોવા સાથે ભાવત્વ હોવું એ આ પાંચનું સાધમ્યું છે. એટલે કે અનેક ભાવ (પદાર્થ) માં રહેલ જે પદાર્થવિભાજક ઉપાધિ, તદ્દન્ત (એ આ પાંચનું સાઘર્પ છે) એ પ્રમાણે અર્થ ફલિત થયો. તેથી પ્રત્યેક ઘડામાં (એક-એક ઘડામાં) અને આકાશાદિમાં અનેકત્વ ન હોવાના કારણે જે અવ્યાપ્તિ આવતી હતી તે) અવ્યાપ્તિ નહીં આવે, (કારણ કે અનેક ભાવ તરીકે અનેક ઘડા લઈ શકાશે, એમાં રહેલ પદાર્થ વિભાજક ઉપાધિ દ્રવ્યત્વ પ્રત્યેક ઘડામાં અને આકાશાદિમાં રહેલ છે જ.) (વિ.) અભાવ સિવાયના દ્રવ્યાદિ ૬ પદાર્થોનું સાધર્મે ‘ભાવત્વ પ્રસિદ્ધ છે. માટે હવે (અભાવ અને સમવાય સિવાયના) દ્રવ્યાદિ પ પદાર્થોનું સાધર્મ્સ જણાવે છે-દ્રવ્યગુણ.. ઇત્યાદિ-દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ આ પાંચ પદાર્થોનું સાધર્મે અનેકત્વ અને સમયાયિત્વ છે. (૧) જો કે ઘટાભાવ-પટાભાવ વગેરે અભાવો અનેક હોવાથી “અનેકત્વ' અભાવમાં પણ રહ્યું છે ને તેથી અતિવ્યાપ્તિ થાય છે. છતાં પણ “અનેકત્વે સતિ ભાવત્વ' એવું પાંચે પદાર્થોનું સાઘર્મ માનવાથી એ દૂર થઈ જાય છે. સમવાયમાં ભાવત્વ છે, પણ અનેકત્વ નથી, ને અભાવમાં અનેકત્વ છે, પણ ભાવત્વ નથી.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy