SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૧૦૫ ખોટા આળ કે આરોપને ટાળવા માટે સતના પારખાં કરવા અગ્નિદિવ્ય, કોશપાનદિવ્ય, જળદિવ્ય, સર્પદિવ્ય જેવી કસોટીઓ ધર્મશાસ્ત્ર આપી છે, અને સાહિત્યમાંથી તેનાં ઘણાં દષ્ટાંતો ટાંકી શકાય છે. એકાદશીના વ્રત સાથે સંકળાયેલા, કૃષ્ણ હરી લીધેલા રાધાના હારને લગતા ધોળમાં સપૈદિવ્ય વડે પોતાની નિર્દોષતા પુરવાર કરવા કૃષ્ણ તૈયાર થાય છે. (જુઓ “લોકસાહિત્ય : સંપાદન અને સંશોધન', પૃ.૧૫-૧૬, ૨૦). સાચની કસોટીનો યુક્તિપૂર્વક છળકપટથી ઉપયોગ કરવાના પણ અનેક દાખલા સાહિત્યમાં મળે છે, જેમ કે ૬૩મા જાતકમાં અથવા તો જૈન પરંપરાની નૂપુરપંડિતાની વાર્તામાં (જુઓ, “ઓશન ઑવ સ્ટોરી' ગ્રંથ-૩, પૃ.૧૮૦). | શુભશીલે આપેલા કથાપ્રસંગ અને લોકપ્રચલિત ધોળનો વિષય એક જ છે એ હકીકતનું એક ફલિત એ છે કે લોકકથાના અધ્યયનમાં પૌરાણિક કથાપ્રસંગને લગતાં લોકગીતોની સામગ્રી પણ ગણતરીમાં લેવી આવશ્યક છે. દીર્ઘ કથાકાવ્યો જ નહીં, પદ, ધોળ, ગીત વગેરે પણ આ માટે ઉપયોગી નીવડી શકે.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy