SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ दीधिति:१९ 11o1o1o1o1o1off told Shibid:16:4000661611 160lNo1ollolololololololololbloodb/0301&te btt*t 36000361030101% नास्त्येव । एकस्य संयोगस्य सर्वेषु हेत्वधिकरणेषु अर्वतमानत्वात् । तथा च संयोगसामान्ये वह्निप्रतियोगिकत्व सामान्य-सर्वहेत्वधिकरणानुयोगिकत्वसामान्याभावस्य सत्वात् साध्याभावस्यैव लक्षणघटकत्वेनाव्याप्तिर्भवेत् । अतो यत्किचित्पदमुपात्तम् । तथा च हेत्वधिकरणत्वेन किमपि हेत्वधिकरणं ग्रहीतुं शक्यते, किन्तु तत् पृथक् पृथक् एव ग्राह्यम् । पर्वतमादाय महानसमादाय चत्वरमादाय वा लक्षणसमन्वयो विधातव्यः । युगपदेव सर्वेषां हेत्वधिकरणानां ग्रहणमेव यत्किचित्पदेन निषिद्धम् । पृथक् पृथक् तु कस्यापि हेत्वधिकरणस्य ग्रहणे न निषेधः कृतः इति बोध्यम् । एवं 'सम्बन्धसामान्ये तादृशप्रतियोगिकत्वसामान्यं अस्ति न वा' इति न प्रष्टव्यम् । किन्तु 'सम्बन्धसामान्ये तादृशप्रतियोगिकत्वसामान्य-अभावः अस्ति न वा' इति प्रष्टव्यम् । एवं 'सम्बन्धसामान्ये तादृशानुयोगिकत्वसामान्य-अभावः अस्ति न वा' इति न प्रष्टव्यम् । किन्तु 'सम्बन्धसामान्ये तादृशानुयोगिकत्वसामान्य-अभावः अस्ति न वा' इति प्रष्टव्यम् । अत्र युक्तयस्तु अनन्तरोदिता स्वयमेवावगन्तव्याः । अत्र बहु वक्तव्यम् तत्तु विस्तरभयात् नोच्यते । ચન્દ્રશેખરીયા : ઉત્તરપક્ષ : ભલે, પણ આ રીતે વિશિષ્ટાભાવની વિવક્ષા કરીએ તો “ઘટવાનું હું મહાકાલ–ાતુમાં જ અવ્યાપ્તિ આવે. કેમકે અહીં અમે ગગનાભાવને લઈને લક્ષણસમન્વય કરતા હતા. બીજો અભાવ તો લેવાતો જ ન હતો. પણ હવે તો ગગનાભાવ પણ ન લેવાય, કેમકે સાધ્યતાવચ્છેદકકાલિકમાં ગગનપ્રતિયોગીકત્વવિશિષ્ટ-મહાકાલાનુયોગિકત્વનો અભાવ મળે તો જ ગગનાભાવ લક્ષણઘટક લેવાય. એ માટે પહેલાં તો કોઈક સંબંધમાં એ વિશિષ્ટને પ્રસિદ્ધ કરવું પડશે. પણ એ તો શક્ય જ નથી. કેમકે ગગન પોતે 8 મહાકાલમાં કોઈપણ સંબંધથી રહેતું હોત તો જ એ સંબંધમાં ગગનપ્રતિયોગીકત્વ + મહાકાલાનુયોગિકત્વ એ ! બે મળત અને તો પછી સંબંધમાં ગગનપ્રતિયોગીકત્વ વિશિષ્ટ એ મહાકાલાનુયોગિકત્વ બનત. પણ એવું તો ! થતું જ નથી. એટલે વિશિષ્ટ જ પ્રસિદ્ધ ન હોવાથી કાલિકમાં વિશિષ્ટનો અભાવ પણ ન લેવાય. આમ હવે 3 તો ગગનાભાવ પણ ન લઈ શકાતા અવ્યાપ્તિનું નિવારણ થઈ જ ન શકે. માટે જ અમે વિશિષ્ટને છોડી ઉભયનો અભાવ લીધો છે. ઉભયમાં તો ગગનપ્રતિયોગીત્વ તાદાભ્યસંબંધમાં પ્રસિદ્ધ છે અને મહાકાલાનુયોગિકત્વ કાલિકમાં પ્રસિદ્ધ છે. અહીં વિશિષ્ટની વિવક્ષા જ ન હોવાથી “બે ય એકમાં જ મળવા જોઈએ” એવું જરૂરી નથી. બે યની જુદી જુદી ક્યાંય પણ પ્રસિદ્ધિ જોઈએ. એટલે તાદાભ્યમાં ગગનપ્રતિયોગિકત્વ છે અને કાલિકમાં મહાકાલાનુયોગિકત્વ છે. એટલે સાધ્યતાવચ્છેદક સંબંધ સામાન્યમાં તાદાભ્યનિષ્ઠ એવા ગગનપ્રતિયોગિત્વનો અભાવ હોવાથી ઉભયાભાવ મળી જાય. આમ ગગનાભાવ જ લક્ષણઘટક બની જતા અવ્યાપ્તિ ન આવે. આ કારણસર જ અમે વિશિષ્ટાભાવ ન કહેતા ઉભયાભાવ કીધો છે. આ પ્રમાણે, બધાં પદોનું પ્રયોજન બતાવી દીધું. આ લક્ષણમાં નીચેની બાબતો બરાબર ધ્યાનમાં રાખવી. જેથી સમજવામાં ભૂલ ન થાય. | (i) સાધ્યતાવચ્છેદક એવા જેટલા સંબંધો મળે, એ તમામે તમામમાં તાદેશોભય છે કે નથી? એ પ્રશ્ન નથી પુછવાનો કેમકે જો એમ કરો, તો તો વનિમાનું ધૂમામાં જ વાંધો આવે, અહીં તમામે તમામ સંયોગમાં તો મહાનલીયવનિસંયોગ પણ છે. તેમાં વનિપ્રતિયોગીકત્વ પર્વતાનુયોગિકત્વ નથી. (યત્કિંચિત્ હે–ધિકરણપર્વત લીધું છે.) એટલે તેમાં ઉભય નથી. માટે સંબંધસામાન્યમાં ઉભય છે? એ પ્રશ્નનો ઉત્તર “ના” આવે. એટલે કે “ઉભયાભાવ છે' એમ અર્થ નીકળે. અર્થાત્ વન્યભાવ જ લક્ષણઘટક બની જતાં અવ્યાપ્તિ આવે. એટલે પ્રશ્ન એમ પુછવો કે “સા.અવ. સંબંધસામાન્યમાં તમામે તમામ સંબંધોમાં તાદેશોભાયાભાવ છે?” સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • ૧૩૫
SR No.032153
Book TitleSiddhant Lakshan Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy