________________
સત્સંગ-સંજીવની
કરણહાર, પરમપ્રિય, પ્રાણથી અધિક વલ્લભ, પરમકૃપાળુ, પરમ દયાળ કવિરાજ રાયચંદ્રભાઇ વિ. રવજીભાઇ
મુંબઈ બંદરથી લિ. દાસનો દાસ દીન સેવક ખીમજી દેવચંદના પરમ ઉપકા૨ બુદ્ધિથી ઉલ્લાસતાથી ચરણ વંદન પુનઃ પુનઃ સ્વાકારશો. આપને કાર્ડ ૧, લખ્યો છે, આપના પત્રની રાહ જોઉં છું. કૃપા કરી સેવક ઉપર પત્ર દ્વારાએ પ્રેમભક્તિ ઉલ્લસિત થવા માર્ગ જણાવશો. હે નાથ ! આપનો છેલ્લો કાર્ડ આવ્યો જેમાં જીવને યોગ્યતા થવા બાબતની શીખ લખી. તેનું મનન કરતાં પરમ હિતસ્વી ખરેખર છે. સદા આપની કૃપાએ એ મનન રહ્યા કરો. અગર જે ઇશ્વરેચ્છાએ જે થતું હોય તે થાવ.
સદા સંતનો સમાગમ, સદ્ગુરુની સેવના એના અમૃત વચનથી ઉલ્લેસવું, હિતસ્વી પવનની છાયામાં
PS pa
રહેવું.
દીન શિષ્ય ચરણરજના પુનઃ પુનઃ પ્રણામ.
પૂ. શ્રી પોપટલાલ મહોકમચંદનો પત્ર
રવાને અમદાવાદ
પરમકૃપાળુ પરમપવિત્ર પરમાત્માને મારા સમયે સમયે નમસ્કાર હોજો.
લિ. આપના ચરણકમળની સેવાની ઇચ્છા રાખનાર પોપટ મહોકમ.
આપના દર્શનનો અભિલાષી પણ કોઇ અંતરાયના ઉદયથી આપનો સમાગમ દુર્લભ થયો છે. તેથી જ્યાં સુધી આપના સમાગમનો યોગ બને નહીં ત્યાં સુધી સેવકને શું વિચા૨ ક૨વો ઘટે છે ? તથા શું વાંચન કરવું ? અગર કેમ પ્રવર્તવું કે જેથી આ સંસારમાં બળી રહેલો તેને વિશ્રાંતિ મળે. માટે આપના વિચારમાં જે બેસે તે વાંચવા વિચારવા આજ્ઞા કરશોજી, એવી આ સેવક આશા રાખે છે. કારણ કે સ્વમતિ કલ્પનાએ કંઇક વાંચવામાં આવ્યું હશે પણ તેથી કંઇ વિકલ્પ સંકલ્પ ઓછા થતાં નથી. માટે આપ જો માથે ધણી હો તો પછી સેવકને કોઇ બીલકુલ ડર નથી. માટે કૃપા કરી જેમ શાંતિ થાય તેમ આપ ફરમાવશો એવી આશા રાખું છું.
પત્ર-૬૭
ચૈત્ર સુદ ૯, ગુરૂ, ૧૯૫૪
આપના આશ્રયની જરૂર છે માટે કિંકરને આશ્રય આપશો. આપની પાસે આવવાની ચાહના રાખું છું પણ હાલ લાચારીથી કાગળ લખવો પડ્યો છે, નહીં તો આપની પાસે આવવું મને ઉત્તમ હતું. પણ વ્યવહારિક પ્રસંગથી લાચાર છું. હાલ એ જ. કામ સેવા ઇચ્છું છું. કૃપા કરી પત્ર દર્શન ઇચ્છું છું.
પૂ. શ્રી ધારશીભાઇ કુશળચંદનો પત્ર
પરમ પૂજ્ય અધમોધારણ, દેવાધિદેવ રાજ્યચંદ્ર
વિ. રવજીભાઇના ચિરંજીવી દિન દિન પ્રત્યે અધિક હોજો....
૭૬
પત્ર-૬૮
દેવદિવાળી
વવાણીયા બંદર