SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ८७ એક જ અધિકરણમાં કારણ એવી ચૂર્ણની ક્રિયા પણ સમવાયસંબંધથી રહે છે તેથી ચૂર્ણની ક્રિયા એ અસમવાયિકારણ છે. * પરંતુ પિશ્તીભાવ પ્રતિ સ્નેહ અસમવાયિકારણ ન બની શકે કારણ કે સ્નેહ જલમાં રહીને ચૂર્ણમાં રહે છે. અર્થાત્ સ્નેહ કાર્યના અધિકરણ એવા ચૂર્ણમાં સ્વસમવાયસંયોગ સંબંધથી રહે છે, સ્વસમવાસિમવેત સંબંધથી નથી રહેતો. તેથી સ્નેહ અસમાયિકારણ ન બનતા નિમિત્તકારણ છે. (न्या० ) स्नेहं लक्षयति-चूर्णादीति । चूर्णादिपिण्डीभावहेतुत्वे सति गुणत्वं स्नेहस्य लक्षणम्। पिण्डीभावो नाम - चूर्णादेर्धारणाकर्षणहेतुभूतो विलक्षणः संयोगः । तादृशसंयोगे स्नेहस्यैवासाधारणकारणत्वं न तु जलादिगतद्रवत्वस्य । तथा सति द्रुतसुवर्णादिसंयोगेन चूर्णादेः पिण्डीभावापत्तेः । अतः स्नेह एवासाधारणं कारणम्। विशेषणमात्रोपादाने कालादावतिव्याप्तिरतस्तद्वारणाय विशेष्योपादानम्। वस्तुतस्तु द्रुतजलसंयोगस्यैव पिण्डीभावहेतुत्वं, स्नेहस्य पिण्डीभावहेतुत्वे मानाभावात्। जले द्रुतत्वविशेषणात्करकादिव्यावृत्तिः॥ ક ન્યાયબોધિની એક “યૂલિપિvમાવહેતુત્વે સતિ ગુણત્વમ્ સ્નેહના આ લક્ષણમાં પિપ્પીભાવ = લોટ વગેરે ચૂર્ણને ધારણ અને આકર્ષણ કરવામાં કારણભૂત એવો વિશેષ પ્રકારનો સંયોગ. આવા પ્રકારના વિલક્ષણ સંયોગમાં સ્નેહ જ અસાધારણ કારણ છે, જલાદિમાં રહેલું દ્રવત્વ નહીં. * જો પિપ્પીભાવમાં જલાદિગત દ્રવત્વને કારણે માનીએ તો દ્રવેલા પીગળેલા સુવર્ણાદિના સંયોગથી પણ ચૂર્ણાદિનો પિંડ થવો જોઈએ પરંતુ એવું થતું નથી. આથી સ્નેહ જ પિપ્પીભાવનું અસાધારણ કારણ છે. * જો લક્ષણમાં વૃદ્વિપિન્કીમવિહેતુત્વ' એ પ્રમાણે વિશેષણ માત્રનું ઉપાદાન કરીએ તો કાર્યમાત્રનું કારણ કાલાદિ હોવાથી કાલાદિમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ “TUત્વ' પદના ઉપાદાનથી કાલાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે કાલાદિ ગુણ નથી. વસ્તુનું વાસ્તવિક રીતે તો સ્નેહને પિપ્પીભાવનું કારણ માનવામાં કોઈ પ્રમાણ નથી કારણ કે જો સ્નેહને પિપ્પીભાવનું કારણ માનીએ તો બરફ, કરા વગેરે જલ સ્વરૂપ હોવાથી એમાં પણ સ્નેહ ગુણ તો છે જ. તેથી બરફાદિથી ચૂર્ણાદિનો પિંડ થવો જોઈએ. પરંતુ એવું બનતું નથી. આ તો સૌ કોઈને પ્રત્યક્ષ જ છે. તેથી કૂતજલના પ્રવાહીરૂપ પાણીના સંયોગને જ પિપ્પીભાવનું કારણ માની લેવું. શંકા : માત્ર જલના સંયોગને જ પિડીભાવનું કારણ માનો ને. જલમાં તત્વ વિશેષણ શા માટે આપ્યું? સમા. : અરે ભાઇ! આમ કરવાથી તો કરાદિ જલ સ્વરૂપ હોવાથી કરાદિથી ફરી પિંડ થવાની
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy