SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫. (શંકા : “ચર્માત્રથી જે ગ્રાહ્ય હોય અને ગુણ હોય તે રૂપ છે આવું પણ રૂપનું લક્ષણ અસંભવ દોષવાળું છે. કારણ કે ચક્ષુરિન્દ્રિયથી જ રૂપનું જ્ઞાન થાય છે, એવું નથી. “બામ્ર: તપવાનુ પતલા આ અનુમાન દ્વારા પણ એતદ્દસ હેતુથી એતદ્ રૂપનું જ્ઞાન થાય છે.) સમા. અરે ભાઈ! “વફુર્માત્રપ્રાસ્થિત્વ નો અર્થ ‘ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય હોય અને ઈતરસર્વથી અગ્રાહ્ય હોય એવો લેવાનો નથી. ન્યાયબોધિનીકારે “માત્ર' પદનો વક્ષMન્દ્રિયાપ્રર્શિત્વ કર્યો છે. અર્થાત્ “જે ચક્ષુથી ગ્રાહ્ય હોય અને ચક્ષર્ભિન્ન ઈન્દ્રિયથી અગ્રાહ્ય હોય તેને રૂપ કહેવાય છે' એવો અર્થ કર્યો છે. આથી રૂપનું જ્ઞાન અનુમાનથી ભલે થતું હોય પરંતુ ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયથી રૂપનું જ્ઞાન થતું ન હોવાથી કોઈ ક્ષતિ આવતી નથી. તેથી રૂપનું લક્ષણ આ પ્રમાણે થશે. “વસુદૈત્વે સતિ વક્ષુર્નિનેન્દ્રિયાપ્રીિત્વે સતિ ગુખ્યત્વે रूपस्य लक्षणम्' * જો માત્ર’ પદનું ઉપાદાન ન કરીએ અને “જે ચક્ષુથી ગ્રાહ્ય હોય અને ગુણ હોય તેને રૂપ કહેવાય છે” આટલું જ કહીએ તો સંખ્યા, સંયોગ, વિભાગ, પરિમાણ વગેરે સામાન્ય ગુણમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે આ બધા ચક્ષુથી ગ્રાહ્ય પણ છે અને ગુણ પણ છે. પરંતુ “વર્મક્રિયાપ્રઈિત્વ' પદના ઉપાદાનથી સંખ્યાદિ ગુણોમાં અતિવ્યાપ્તિ નહીં આવે, કારણ કે સંખ્યાદિ ગુણો માત્ર ચક્ષુથી ગ્રાહ્ય છે એવું નથી પરંતુ ચક્ષુથી ભિન્ન વગેન્દ્રિયથી પણ ગ્રાહ્ય છે. * તો પછી “વફુર્મક્રિયગ્રાહ્યત્વે સતિ પુત્વમ્' આટલું જ રૂપનું લક્ષણ કરીએ તો રૂપ, ચક્ષુથી ભિન્ન એવી રસનેન્દ્રિય વગેરેથી અગ્રાહ્ય છે અને ગુણ પણ છે. તેથી રૂપના લક્ષણમાં અવ્યાપ્તિ ભલે ન આવે પરંતુ ગુરૂત્વ, સંસ્કાર, ધર્મ, અધર્મ વગેરે જે અતીન્દ્રિય ગુણો છે તે કોઈ પણ ઈન્દ્રિયથી ગ્રાહ્ય ન હોવાથી ચર્ભિન્ન ઈન્દ્રિયથી પણ અગ્રાહ્ય જ કહેવાય અને ગુણ તો છે જ, તેથી ગુરૂત્વ વગેરે ગુણોમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “વસુહ્યત્વ' પદના નિવેશથી ગુરૂત્વ વગેરેમાં અતિવ્યાપ્તિ નહીં આવે, કારણ કે ગુરૂત્વ વગેરે ગુણો કોઈપણ ઈન્દ્રિયથી ગ્રાહ્ય ન હોવાથી ચક્ષુથી પણ ગ્રાહ્ય નથી. મત્ર નક્ષતકુપાતાન શંકા : “વધુત્રપ્રાદ્યત્વે સતિ વર્ષાર્મિસેન્દ્રિયગ્રાહ્યત્વે સતિ ખત્વમ્' આવું જે રૂપનું લક્ષણ કર્યું છે એમાં પ્રસ્થિત્વ' કોને કહેવાય અને “પ્રાહિત્વિ' કોને કહેવાય? સમા. : “ત્વિ ' “પ્રત્યક્ષવિષયત્વ' જેનું પ્રત્યક્ષ થાય તે પ્રત્યક્ષનો વિષય કહેવાય છે. દા.ત. ઘટાદિ પદાર્થોનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, માટે ઘટાદિ પદાર્થો પ્રત્યક્ષના વિષય કહેવાય છે. એ જ પ્રમાણે “ગ્રાહ્યત્વ' “પ્રત્યક્ષવિષયત્વ' જેનું પ્રત્યક્ષ ન થાય તે પ્રત્યક્ષનો અવિષય કહેવાય છે. દા.ત. રૂપનું જ્ઞાન ચક્ષુ સિવાય કોઈપણ ઈન્દ્રિયથી થતું નથી, માટે રૂપ એ ત્વગાદિ પ્રત્યક્ષનો અવિષય છે. તેથી રૂપનું “વસુર્નચપ્રત્યક્ષવિષયત્વે સતિ, વ ન્દ્રિયનન્યપ્રત્યક્ષાવિષયત્વે સતિ ગુણત્વમ્' આ પ્રમાણે લક્ષણ થશે. અર્થાત્ ચક્ષુથી જન્ય જ્ઞાનનો જે વિષય હોય અને ચક્ષુથી ભિન્ન ઈન્દ્રિયથી જન્ય જ્ઞાનનો જે અવિષય હોય અને જે ગુણ હોય તેને
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy