SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ કેવલીમાં રહેતા હોવાથી લક્ષ્મતાવચ્છેદક કેવલિત્વના સમાનાધિકરણ છે. પરંતુ લક્ષણમાં “સંસ્થતી વચ્છેસનાધિપત્યિક્તામવિપ્રતિયોગિત્વ' આ પદના નિવેશથી પૂર્વોક્ત આપત્તિ નહીં આવે, કારણ કે લક્ષ્યાવચ્છેદક કેવલિત્વનું અધિકરણ જે કેવલી છે, તે કેવલી ઉપયાગવાળા અને ઘાતિકર્મક્ષયવાળા હોવાથી કેવલીમાં ઉપયોગવત્ત્વ અને “ઘાતિકર્મક્ષયવત્ત્વ' તે બન્ને લક્ષણનો અત્યંતભાવ મળતો નથી. આથી તાદશ અત્યંતાભાવના પ્રતિયોગી “ઉપયોગવત્ત્વ” તથા “ઘાતિકર્મક્ષયવસ્વ' આ લક્ષણો બનતા નથી. આમ, અવ્યાપ્તિ દોષના બને પદો સાર્થક છે. * અસંભવનું નિકૃષ્ટ લક્ષણ * નફ્સતાવજીવીપીમૂનામાવતિયોત્વિમસંમવ: અર્થાત્ જે લક્ષણ લક્ષ્યાવચ્છેદકના વ્યાપકીભૂત અભાવનો પ્રતિયોગી હોય, તે લક્ષણ અસંભવદોષવાળું કહેવાય છે. દા.ત. - ગાયનું લક્ષણ ‘શhવેત્ત્વ’ કરીએ તો લક્ષ્ય ગાય છે, લક્ષ્મતા ગાયમાં છે, લક્ષ્યાવચ્છેદક ગોત્વ છે. આ લક્ષ્યતાવચ્છેદક – જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં શિવત્ત્વનો = એકખુરનો અભાવ હોવાથી, લક્ષ્મતાવચ્છેદકનો વ્યાપક એવો અભાવ “શhવસ્વામી છે. તે અભાવનો પ્રતિયોગી “શિવ’ હોવાથી તાદશપ્રતિયોગિત્વ “શિવત્વ માં જશે. આમ “શhવર્વમાં અસંભવનું લક્ષણ ઘટી જવાથી ગાયનું “શિવત્વે’ લક્ષણ અસંભવદોષવાળું છે. * અસંભવના લક્ષણમાં વ્યાપકીભૂતાભાવ' ને બદલે “સમાનાધિકરણાભાવ' પદ લખીએ એટલે કે “નંતીવસમનધરણામાવતિયોત્વિનું આવું લક્ષણ કરીએ તો આ અસંભવનું લક્ષણ અવ્યાપ્તિદોષથી દૂષિત એવા લક્ષણમાં જતું રહેવાથી અતિવ્યાપ્તિ દોષવાળું બને છે. તે આ રીતે કેવલીનું “અષ્ટપ્રાતિહાર્યવન્ત’ આ લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું છે. કારણ કે બધાં જ કેવલી અષ્ટપ્રાતિહાર્યવાળા હોતા નથી પરંતુ કેવલીનો એકદેશ તીર્થકર જ અષ્ટપ્રાતિહાર્યવાળા હોય છે. હવે લક્ષ્યાવચ્છેદક કેવલિત્વનું અધિકરણ જે સામાન્ય કેવલી છે, તે અષ્ટપ્રાતિહાર્યવાળા ન હોવાથી તેમાં ‘અષ્ટપ્રતિહાર્યવસ્વ'નો અભાવ છે. અને એ અભાવનો પ્રતિયોગી અષ્ટપ્રાતિહાર્યવત્ત્વ છે. તેથી તેમાં તાદેશપ્રતિયોગિત સ્વરૂપ અસંભવદોષનું લક્ષણ જતું રહશે. પરંતુ લક્ષણમાં “સમાનાધિકરણ' પદને બદલે “વ્યાપક” પદ મૂકવાથી અસંભવનું લક્ષણ અવ્યાપ્તિ દોષવાળા “અષ્ટપ્રતિહાર્યવર્ત લક્ષણમાં નહીં જાય. કારણ કે જ્યાં જ્યાં કેવલિત્વ છે ત્યાં બધે જ કંઈ “મષ્ટપ્રાતિહાર્યવત્ત્વનો અભાવ ન હોવાથી લક્ષ્મતાવચ્છેદક કેવલિત્વનો વ્યાપક “અષ્ટપ્રતિહાર્યવત્ત્વ' નહીં બની શકે. વળી, * અસંભવના લક્ષણમાં “અભાવ' પદથી અન્યોન્યાભાવ લેવામાં આવે તો આ અસંભવદોષનું લક્ષણ સલક્ષણમાં જવાથી ફરી અતિવ્યાપ્તિદોષવાળું બનશે. તે આ રીતે ન શ્વવેત્ત્વ = અન્ય’ એ પૃથ્વીનું સલક્ષણ છે. લક્ષ્ય પૃથ્વી છે, લક્ષ્મતાવચ્છેદક જે પૃથ્વીત્વ છે
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy